Sunday, January 18, 2026

અમદાવાદીઓ, તમારા ઘરની નજીક અર્બન હેલ્થ સેન્ટર પરથી જન્મ, મરણના દાખલામાં સુધારા થઇ શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓએ જન્મ-મરણના દાખલામાં સુધારા માટે ઝોનલ ઓફિસ કે ગીતા મંદિર આરોગ્ય ભવન સુધી ધક્કો નહીં ખાવો પડે. લોકો પોતાના વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં જઈને સુધારા કરાવી શકશે.છેલ્લા કેટલાક સમયથી ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે જન્મ-મરણની કચેરી ખાતે સર્ટિફિકેટમાં સુધારા માટે લોકોને લાંબી લાઈનો લાગતી હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારી યોજનાઓ માટે કેવાયસી આવશ્યક બનાવાયું છે ત્યારે જન્મ અને મરણના સર્ટિફિકેટમાં કેટલાક સુધારા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે આવી રહ્યા છે. જેને કારણે અહીં લાઇનો લાગી રહી છે. જોકે લોકો આ કામગીરી ઘરની નજીકમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તે માટે લોકોએ ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન સુધી આવવાની જરૂરત નથી.

નોંધનીય છેકે, જન્મના સર્ટિફિકેટમાં બાળક, માતા અથવા પિતાના નામમાં સુધારો કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન ખાતે આવી રહ્યા છે. અત્યારે ધસારો વધારે જોવા મળતાં આરોગ્ય ભવન ખાતે પણ 8 વધારાના કર્મચારીઓને બેસાડી કામનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...