Thursday, March 5, 2026

અમદાવાદીઓ, તમારા ઘરની નજીક અર્બન હેલ્થ સેન્ટર પરથી જન્મ, મરણના દાખલામાં સુધારા થઇ શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓએ જન્મ-મરણના દાખલામાં સુધારા માટે ઝોનલ ઓફિસ કે ગીતા મંદિર આરોગ્ય ભવન સુધી ધક્કો નહીં ખાવો પડે. લોકો પોતાના વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા જન્મ-મરણ વિભાગમાં જઈને સુધારા કરાવી શકશે.છેલ્લા કેટલાક સમયથી ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે જન્મ-મરણની કચેરી ખાતે સર્ટિફિકેટમાં સુધારા માટે લોકોને લાંબી લાઈનો લાગતી હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારી યોજનાઓ માટે કેવાયસી આવશ્યક બનાવાયું છે ત્યારે જન્મ અને મરણના સર્ટિફિકેટમાં કેટલાક સુધારા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે આવી રહ્યા છે. જેને કારણે અહીં લાઇનો લાગી રહી છે. જોકે લોકો આ કામગીરી ઘરની નજીકમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તે માટે લોકોએ ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન સુધી આવવાની જરૂરત નથી.

નોંધનીય છેકે, જન્મના સર્ટિફિકેટમાં બાળક, માતા અથવા પિતાના નામમાં સુધારો કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઝોનલ ઓફિસ કે આરોગ્ય ભવન ખાતે આવી રહ્યા છે. અત્યારે ધસારો વધારે જોવા મળતાં આરોગ્ય ભવન ખાતે પણ 8 વધારાના કર્મચારીઓને બેસાડી કામનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...