Tuesday, May 5, 2026

મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર, આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ મેટ્રોની મુસાફરી કરતાં લોકો માટે મહત્વના સમાચાર છે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ સુદ્ધિ મેટ્રો મેટ્રો ટ્રેન સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. આ રવિવારથી વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન હવે થલતેજ ગામ સુધી દોડશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હઅમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થતા નોકરીએ જતા લોકોને રાહત થવા પામી છે. ત્યારે હવે આગામી તા. 8 ડિસેમ્બરથી મેટ્રોનાં મુસાફરો થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે. 8 ડિસેમ્બરથી થલતેજ ગામ મેટ્રો સ્ટેશન પર પહેલી મેટ્રો ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે. અત્યાર સુધી માત્ર થલતેજ સ્ટેશન સુધી જ જઈ શકાતું હતું. હવે થલતેજ ગામ સુધી મુસાફરી કરી શકશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની મેટ્રો સેવામાં નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલ પાર્ક, એપરલ પાર્ક ડિપો, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિ., ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને હવે થલતેજ ગામ સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટ સુધી દોડતી થશે.

સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે. કેમ કે અમદાવાદ 2036માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે.

શહેરીજનો મેટ્રો સેવાનો લાભ લેતા થાય તે માટે મેટ્રો સેવાને વધુને વધુ સુલભ બવવવામાં આવી રહી છે. ઉતર દક્ષિણ કોરિડોરનું પણ વિસ્તરણ કટરવામાં આવ્યું છે. APMCથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી કરી દેવામાં આવી છે. ગુજરાત નેશનલ લો કોલેજથી ગિફ્ટ સિટી સુધી પણ મેટ્રો ટ્રેનનો લાભ મળી રહ્યો છે. હવે મેટ્રોના આગામી પ્રોજેક્ટમાં સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનને લંબાવવાની કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...