Wednesday, January 21, 2026

મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યુઝ : અમદાવાદ-ગાંધીનગરની મેટ્રોની ટિકિટ હવે એપથી બુક કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફર ઘર બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરી શકશે. જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (GMRCL) થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો રેલ સેવા શરૂ કરી છે. મેટ્રો ટ્રેનમાં લોકોની મુસાફરી સતત વધી રહી છે જેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરોને મુસાફરી માટેની માહિતીથી લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રેલવે સ્ટેશન પરથી ટિકિટબારી પર જઈને ટિકિટ લેવાની હતી, જોકે હવે એપ પરથી પણ લોકો ટિકિટ બુક કરી શકશે.

મેટ્રો રેલની ઓફિશિયલ એપ પર સૌ પ્રથમ Book Ticketમાં ક્લિક કરતા કયા સ્ટેશનેથી કયા સ્ટેશન સુધી જવું છે તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટિકિટ લેવાની છે તે સિલેક્ટ કરીને કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી કઈ તારીખની અને કેટલું ભાડું થયું તે દર્શાવવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરતાની સાથે જ UPI પેમેન્ટ કરવાનું હોય તેમાં માહિતી નાખ્યા બાદ તરત જ ઓનલાઇન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ટિકિટ બે કલાક સુધી જ માન્ય ગણાય છે. આ ઉપરાંત એપથી મેટ્રોની ઘણી બધી માહિતી પણ મળી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...