Friday, January 23, 2026

બાબાસાહેબની પ્રતિમા ખંડિત મામલે ખોખરા બંધ : લોકોનાં ધાડેધાડાં રોડ પર, ભાજપ-કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી રજૂઆત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ખોખરામાં આંબેડરની પ્રતિમાને ખંડિત કર્યાના મામલે રાજકારણ ગરમાયું છે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘટના બની ત્યારથી ધરણા ધર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તો આ મામલે હવે રાજકારણ ગરમાયુ છે.

ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થયાને 24 કલાકથી વધુનો સમય વિતી ગયો.. અને આગેવાનોએ આપેલા સમયની મર્યાદા પૂર્ણ થતાં જ, ધીરજથી વિરોધ કરવાની મર્યાદા પણ ઓળંગી દેવાઈ.. ખોખરા બંધનું એલાન આપી દેવાયું.. જો કે, બપોર થતાં તો આ બંધને મિશ્ર પ્રતિસાદ જ મળ્યો હતો.. દરમિયાન રસ્તા પર બેનરો સાથે.. સૂત્રોચ્ચાર બોલવતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા..સ્થાનિકોએ આરોપીને પકડવાની માગ યથાવત્ રાખી..

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપનું વણલ ડો.બાબાસાહેબ આંબેડકરની વિરોધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ નવી મૂર્તિ સ્થાપિત કરી ઝડપથી આરોપીને પકડવાની માગ કરવામાં આવી છે. તો આ મામલે કોંગ્રેસ-ભાજપના નેતાઓએ પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ભાજપના સાંસદ દિનેશ મકવાણા, દર્શના વાઘેલા, અમિત ઠાકરે પણ રજૂઆત કરી છે. આ સાથે આરોપીઓને ઝડપથી પકડવા માગ કરી છે.

જયંતિ વકીલની ચાલીના સ્થાનિકોની માગ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં પણ ડો. બાબા સાહેબ આંબેડકર અને મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, ત્યાં સીસીટીવી લગાવવામાં આવે.જ્યાં પણ આવા પ્રતિમાઓ લગાવવામાં આવેલી છે તે તમામ જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે.ડો. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે.આરોપીનું કમિશનર ઓફિસ સુધી સરઘસ કાઢવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...