Saturday, January 17, 2026

ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર, લોકોમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ આ સમગ્ર કેસની તપાસ કરી રહી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચે 20 ટીમો બનાવી હતી. ટીમોએ અલગ અલગ 1 હજારથી વધુ CCTV તપાસ્યા હતા. આખરે ક્રાઇમ બ્રાંચને સફળતા મળી અને મેહુલ ઠાકોર તથા ભોલા ઠાકોરને ઝડપી લેવાયા છે. જોકે ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેમને શોધવા પોલીસ તપાસ તેજ થઇ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડો.આંબેડકરની મૂર્તિને પથ્થર મારનાર આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. 22 ડિસેમ્બરે રાત્રે 3:30 વાગ્યે બે એક્ટીવા ઉપર ચાર લોકો આવ્યા હતા અને મૂર્તિને ખંડિત કરી હતી. અન્ય બે આરોપીઓ મુકેશ ઠાકોર અને ચેતન ઠાકોરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને ચારેયને આશ્રય આપનાર જયેશ ઠાકોરની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સમગ્ર મામલે એવી હકીકત સામે આવી છે કે બે સમાજ વચ્ચે ચાલી રહેલી અદાવતમાં આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2018માં કોઈ બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. પરંતુ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...