અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. મનમોહન સિંહના નિધનને લઈ AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં તા. 25 થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગત રોજ નિધન થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયો હતો. AMC દ્વારા કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ કરાયો છે.
આ ઉપરાંત આગામી 1લી જાન્યુઆરી થી શરુ થતા ફલાવર શોની તારીખમાં પણ ફેરફાર થઇ શકે છે, ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે, એવું અહેવાલો જણાવી રહ્યા છે.


