Thursday, January 15, 2026

એસજી હાઈવે પર ભયંકર અકસ્માત, કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં થલતેજના એક્રોપોલિસ મોલ પાસે અનેક વાહનો અથડાયા હોવાનું સામે આવ્યું. જો કે, અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી અને કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે રાત્રે એસજી હાઈવે પર થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલ પાસે બ્રિજ નીચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ ડંપરે અન્ય બે કારને અડફેટે લેતા બંને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.પરંતુ અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. જો કે, એક સાથે ઘણાં વાહનોનો અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાની સાથે સ્થળ પર આવી પહોંચીને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સલામત અંતર જાળવીને વાહન ચલાવા સહિતની સૂચના આપી હતી. જ્યારે કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...