Saturday, January 17, 2026

1લી જાન્યુઆરીથી ફરજિયાત મીટર મામલે રિક્ષાચાલકોએ કર્યો વિરોધ, હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ દ્વારા ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષાચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષાચાલકોએ મીટર નહીં લગાવ્યું હોત તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષાચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોની હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ન લગાવનાર સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ન કરવા અને દંડને રદ્દ કરવાની માંગ સાથે રિટ દાખલ કરવામાં આવી છે. રિટ દાખલ કરતા અરજદારે કહ્યું કે, માત્ર ઓટો રિક્ષામાં જ ફલેગ મીટર લગાવવાનો કાયદો એ ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે.

વધુમાં અરજદારે કહ્યું કે, કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટરએ ભેદભાવવાળી નીતિ છે. ઓલા, ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી જે પણ કાયદાનું ઉલ્લંઘન છે. જેથી આ રિક્ષાચાલકોએ મીટર મામલે વિરોધ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જોવાનું એ હવે આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે?

પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં તા.1/1/2025થી ઓટો રિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ કે બગડેલ હોય તો ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા બાબતે પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. એ પરત્વે પોલીસને કોઈ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી ન કરવા અને આ પ્રકારના દંડને રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...