Thursday, March 12, 2026

અમદાવાદમાં ઠેર-ઠેર ડાન્સ-આતશબાજી સાથે નવા વર્ષની ઊજવણી, સિંધુભવન-CG રોડ પર માનવમહેરામણ

spot_img
Share

અમદાવાદ : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં લોકો જોરશોરની ઉજવણી સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે. જ્યારે 2025ને વધાવવા માટે અમદાવાદ સહિતના શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતના રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદમાં પોલીસ એક્શનમાં છે.

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ જાણીતા વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતું, ત્યારે સીજી રોડ, સીધું ભવન સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ માર્કેટમાં ખાણીપીણીની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકોની ભડી જોવા મળી હતી. ત્યારબાદ આ મ્યુનિસિપલ માર્કેટ ખાણીપીણી બજાર પોલીસે બંધ કરાવી દીધું હતું. બાદમાં લોકો ઘર તરફ જવા નીકળ્યા હતા.પોલીસ પણ ધીમે ધીમે લોકોને જવા માટે કહી રહી છે, પરંતુ આ લખાય છે ત્યારે પણ લોકો સીજી રોડ ઉપર ફરતા જોવા મળે છે.

31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં મોડમાં છે. નવા વર્ષને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે સિંધુભવન ખાતે ચાલીને અધિકારીઓએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સિંધુભવન પહોંચ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...