Thursday, January 22, 2026

અમદાવાદમાં ઠેર-ઠેર ડાન્સ-આતશબાજી સાથે નવા વર્ષની ઊજવણી, સિંધુભવન-CG રોડ પર માનવમહેરામણ

spot_img
Share

અમદાવાદ : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં લોકો જોરશોરની ઉજવણી સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે. જ્યારે 2025ને વધાવવા માટે અમદાવાદ સહિતના શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતના રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદમાં પોલીસ એક્શનમાં છે.

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ જાણીતા વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતું, ત્યારે સીજી રોડ, સીધું ભવન સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ માર્કેટમાં ખાણીપીણીની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકોની ભડી જોવા મળી હતી. ત્યારબાદ આ મ્યુનિસિપલ માર્કેટ ખાણીપીણી બજાર પોલીસે બંધ કરાવી દીધું હતું. બાદમાં લોકો ઘર તરફ જવા નીકળ્યા હતા.પોલીસ પણ ધીમે ધીમે લોકોને જવા માટે કહી રહી છે, પરંતુ આ લખાય છે ત્યારે પણ લોકો સીજી રોડ ઉપર ફરતા જોવા મળે છે.

31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં મોડમાં છે. નવા વર્ષને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે સિંધુભવન ખાતે ચાલીને અધિકારીઓએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સિંધુભવન પહોંચ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...