Thursday, January 15, 2026

પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢીને અપમાનિત કરવાની કાર્યવાહી અટકાવો : હાઇકોર્ટમાં પીટીશન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આરોપીઓનું ખોટી રીતે સરઘસ નહી કાઢવા અંગે હાઈકોર્ટ દ્વારા અગાઉ જારી નિર્દેશો અને સુપ્રીમકોર્ટે ડી.કે.બાસુના કેસમાં જારી કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં કેટલાક માથાભારે લોકોની સામે ફોજદારી ફરિયાદ દાખલ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી.અરજદારે આવી રીતે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં અપમાનિત કરીને સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુના કેસમાં આપેલા ચુકાદાઓનો ભંગ થતો હોવાનો અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં અપાયેલા ચુકાદા બાદ આવું કૃત્ય નહિ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક અમલ થવો જોઇએ તેવી માગણી કરી છે. આ કેસની સુનાવણી 5 ફેબ્રુઆરીનો રોજ હાથ ધરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજકોટમાં રહેતા વેપારી પ્રતિક ચંદારાણાં મારફતે આ જાહેર હિતની અરજી ગત મહિને ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત ડિસેમ્બર મહિનામાં તેમની વિરૂધ્ધ રાજકોટના ’બી’ ડિવીઝન પોલીસ સ્ટેશન અને ત્યારબાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને માર મારવાની, ધમકી આપવા સહિતની અલગ-અલગ બે ફરિયાદો નોંધવામા આવી છે. તેઓ પત્રકાર તરીકે કામ કરતા હોવાથી તે બાબતનો દ્વેષભાવ રાખીને અગાઉ પણ તેમની સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે.

તેઓને આવી માહિતી મળી છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, માથાભારે ગુનેગારોમાં કાયદાનો ભય ફેલાવવા તેમજ લોકોને સુરક્ષાની લાગણીનો અનુભવ થાય તે માટે કોઇ માથાભારે આરોપી પકડાય તો તેનું જાહેરમાં સરઘસ કાઢવું. આ બાબતે વિવિધ મિડીયામાં સમાચાર પણ પ્રકાશિત થયા છે.

આથી તેઓને પણ દહેશત છે કે પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢીને અપમાનિત કરવામાં આવશે. અગાઉ રાજકોટમાં એક આરોપીનું સરઘસ કાઢીને માર મારવાના કેસમાં એક પિટિશન થઇ હતી અને તેમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. તે ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બાસુના કેસના ચુકાદામાં કસ્ટડીમાં રહેલા આરોપીઓની સુરક્ષા માટે જે પણ માર્ગદર્શીકા ઘડવામાં આવી છે.

તેનો કડક અમલ કરવાનો આદેશ કરાયો હતો. તે મુજબ પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ દ્વારા જાહેરનામુ બહાર પાડીને દરેક પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યું છે. આથી તેમની સાથે પણ પોલીસ ગેરવર્તન કરે નહી અને સરઘસ કાઢે નહી તે માટેનો આદેશ કરવો જોઇએ. બીજું કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...