Wednesday, January 21, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ પકડાયા, પાંચ વોન્ટેડ

spot_img
Share

અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં રમાતી ક્રિકેટ સીરીઝ પર અમદાવાદમાં બેસીનો સટ્ટો રમાડતા ત્રણ સટોડિયાને પીસીબીની ટીમે ઝડપી લીધા છે. જ્યારે તેઓ જે મોટા બુકીઓ પાસે સટ્ટો કપાવતા હતા. તે થલતેજના જશુ ઠાકોર સહિત પાંચને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીસીબીના પોલીસ ઇન્પેક્ટર જે પી જાડેજાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા ત્રાગડ રીંગ રોડ નજીક આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કેયુર ઉર્ફે જીગર પટેલના ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને કેયુર પટેલ , આકાશ ઉર્ફે ચિન્ટુ પારસભાઈ શાહ (રહે.શાહ કોલોની રાહત સર્કલ પાસે શાહપુર દરવાજા બહાર શાહપુર અમદાવાદ) અને કૃણાલ દિલીપભાઈ મોદી (રહે. હરિહર નિવાસ પરબડી પાસે શાહપુર દરવાજાનો ખાંચો,શાહપુર)ને ઝડપી લીધા હતા.પોલીસને સ્થળ પરથી નવ મોબાઇલ ફોન, લેપટોપ, અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતે કે કેયુર પટેલ ન્યૂ રાણીપ ચેનપુર રોડ પર આવેલા મેગા આર્કેડમાં રહેતો હતો અને તેણે સટ્ટા માટે મકાન ભાડે રાખ્યું હતુ. તેણે સટ્ટા માટેનું આઇડી ચાંદલોડિયા સિલ્વર સ્ટાર નજીક રહેતા કિશોર મારવાડી, જય ઠાકોર પાસેથી તેમજ અન્ય ત્રણ લોકો પાસેથી લીધા હતા.પોલીસને હિસાબની ડાયરી તેમજ અન્ય ગ્રાહકોના નામની યાદી પણ મળી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...