Thursday, February 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ પકડાયા, પાંચ વોન્ટેડ

spot_img
Share

અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં રમાતી ક્રિકેટ સીરીઝ પર અમદાવાદમાં બેસીનો સટ્ટો રમાડતા ત્રણ સટોડિયાને પીસીબીની ટીમે ઝડપી લીધા છે. જ્યારે તેઓ જે મોટા બુકીઓ પાસે સટ્ટો કપાવતા હતા. તે થલતેજના જશુ ઠાકોર સહિત પાંચને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીસીબીના પોલીસ ઇન્પેક્ટર જે પી જાડેજાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા ત્રાગડ રીંગ રોડ નજીક આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કેયુર ઉર્ફે જીગર પટેલના ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને કેયુર પટેલ , આકાશ ઉર્ફે ચિન્ટુ પારસભાઈ શાહ (રહે.શાહ કોલોની રાહત સર્કલ પાસે શાહપુર દરવાજા બહાર શાહપુર અમદાવાદ) અને કૃણાલ દિલીપભાઈ મોદી (રહે. હરિહર નિવાસ પરબડી પાસે શાહપુર દરવાજાનો ખાંચો,શાહપુર)ને ઝડપી લીધા હતા.પોલીસને સ્થળ પરથી નવ મોબાઇલ ફોન, લેપટોપ, અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતે કે કેયુર પટેલ ન્યૂ રાણીપ ચેનપુર રોડ પર આવેલા મેગા આર્કેડમાં રહેતો હતો અને તેણે સટ્ટા માટે મકાન ભાડે રાખ્યું હતુ. તેણે સટ્ટા માટેનું આઇડી ચાંદલોડિયા સિલ્વર સ્ટાર નજીક રહેતા કિશોર મારવાડી, જય ઠાકોર પાસેથી તેમજ અન્ય ત્રણ લોકો પાસેથી લીધા હતા.પોલીસને હિસાબની ડાયરી તેમજ અન્ય ગ્રાહકોના નામની યાદી પણ મળી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...