Sunday, March 15, 2026

અમદાવાદ પોલીસની લાલ આંખ, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંજા અને કાચની દોરીના વેચનારા સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ જાહેર થયો છે. રાજ્યભરમાં કાચની દોરી એટલે કે કાચ પીવડાવેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના તહેવારમાં સરકારે પ્રતિબંધ કરેલી નુકસાન કરતી ચીજવસ્તુઓ બાબતે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આ બાબતે 48 જેટલા કેસ કરવામાં આવ્યા હતા, જેમાં 49 જેટલા શખ્સોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીની રીલ, 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઇન ચાઈનીઝ દોરી કે તુક્કલનાં વેચાણ અંગે વોચ રાખવામાં આવશે. આ મિશનમાં 15 DCP, 19 ACP અને 86 PI નો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તેમજ 291 PSI, 7840 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ અને 18 SRPની કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ઉત્તરાયણના પવિત્ર પર્વમાં ચાઈનીઝ તેમજ કાચથી ભેળવેલી દોરીને કારણે દરવર્ષે હજારો અબોલ પશુ-પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે તેમજ ચાઈનીઝ તુક્કલને કારણે પણ વિશાળ આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં ગુજરાત સરકારે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને કાચથી ભેળવેલી દોરી પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કેટલાક શખ્સો આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.જેને કારણે પોલીસ દ્વારા આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...