Wednesday, January 21, 2026

અમદાવાદ પોલીસની લાલ આંખ, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ માંજા અને કાચની દોરીના વેચનારા સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ જાહેર થયો છે. રાજ્યભરમાં કાચની દોરી એટલે કે કાચ પીવડાવેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના તહેવારમાં સરકારે પ્રતિબંધ કરેલી નુકસાન કરતી ચીજવસ્તુઓ બાબતે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આ બાબતે 48 જેટલા કેસ કરવામાં આવ્યા હતા, જેમાં 49 જેટલા શખ્સોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 97 ચાઈનીઝ દોરીની રીલ, 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઇન ચાઈનીઝ દોરી કે તુક્કલનાં વેચાણ અંગે વોચ રાખવામાં આવશે. આ મિશનમાં 15 DCP, 19 ACP અને 86 PI નો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તેમજ 291 PSI, 7840 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ અને 18 SRPની કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ઉત્તરાયણના પવિત્ર પર્વમાં ચાઈનીઝ તેમજ કાચથી ભેળવેલી દોરીને કારણે દરવર્ષે હજારો અબોલ પશુ-પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે તેમજ ચાઈનીઝ તુક્કલને કારણે પણ વિશાળ આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં ગુજરાત સરકારે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને કાચથી ભેળવેલી દોરી પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કેટલાક શખ્સો આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.જેને કારણે પોલીસ દ્વારા આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...