Wednesday, January 21, 2026

અમદાવાદમાં પોલીસે જ પોલીસનો ખેલ પાડ્યો, PCR વાન માંથી દારૂ ઝડપાતા પોલીસકર્મી-હોમગાર્ડ સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્યો છે. PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવ્યા છે. PCR ગાડીના ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુજીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ નરોડા પોલીસ લાઇનના ગેટ પાસે ગેલેક્ષી ચાર રસ્તા તરફ હતાં. પોલીસ સ્ટેશનની PCR વાન નં.91માં મોબાઇલ વાનના ઈન્ચાર્જ તથા તેમની સાથે નોકરી કરતા હોમગાર્ડએ કોઈ જગ્યાએથી એક કાળા કલરની બેગમાં વિદેશી દારૂની શીલબંધ બોટલો PCR માં રાખી છે. આ માહિતીના આધારે પોલીસે PCR વાન રોકીને તપાસ કરતા PCR ના ઇનચાર્જ પોતાનું નામ સતીશ જીવણજી ઠાકોર અને તેમની સાથે હાજર હોમગાર્ડે પોતાનું નામ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત હોવાનું જણાવ્યું હતું .

પોલીસે જ્યારે PCR વાનમાં તપાસ કરી ત્યારે પાછળની સીટમાં બેસેલ હોમગાર્ડ વીકમસિંહે ગાડીમાંથી એક કાળા કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકી લેતા તેના થેલામાંથી દારૂની બે બોટલ અને 30 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા પોલીએ બન્નેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI અભિષેક ધવનની નિમણુંક થતાની સાથે જ બુધવાર રાત્રીના સમયે નરોડાના મુઠીયા ગામમાં રહેતા જીગ્નેશ નામના બુટલેગર અને તેના ભાઈ કાલીની ધરપકડ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ઝોન -4 એલસીબીના કર્મીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્ટેડ બુટલેગર જીગો પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના ટપોરી ભાઈ કાલીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. નામચીહ્ન બુટલેગર જીગાના સગા ભાઈ કાલીની ધરપકડ કર્યા બાદ પોલીસ ડંડા વડે તેની આગતા-સ્વાગતા કરીને કાયદાનો પાઠ પોલીસની ભષામાં ભણાવ્યો છે.

નરોડા અને તેની આસપાસના વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરોના મકાનોમાં બુધવાર સાંજથી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં રહેતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. મુઠીયા ગામમાં રહેતા અને પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળયેલા ઘણાખરા લીસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નરોડામાંથી દારનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેના પગલે PI એમ.વી પટેલની K કંપનીમાં નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અભિષેક ધવનને સોંપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...