Thursday, March 5, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, KBC-કોન બનેગા કરોડપતિની થીમ ઉપર વિદ્યાર્થીઓની ક્વિઝનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા છેલ્લા 49 વર્ષથી સતત અને સુંદર શિક્ષણ આપતી સંસ્થા તરીકે નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા છે.પ્રાથમિક વિભાગ ચલાવતી અક્ષર પ્રાથમિક શાળા અભ્યાસની સાથે નવીનતામ ઈતરપ્રવૃત્તિ માટે પણ જાણીતી છે.

ભારતીય ટીવી વર્લ્ડના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમ ઉપર એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ સ્વરૂપ શાળામાં ‘કૌન બનેગા અક્ષરપતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા જીણામાં જીણી બાબતોને અભિવ્યક્તિમાં વણી લઈને એવું આયોજન કરે છે કે તેમાં બાળકોથી લઈને માતા-પિતાને પણ જોડાવાનો ઉત્સાહ જાગે છે.પછી એ “કૌન બનેગા અક્ષરપતિ” નો સેટ હોય, મ્યુઝિક હોય, હોસ્ટિંગ હોય કે પછી વિવિધ રાઉન્ડ હોય ;દરેક બાળક તેમાં સહભાગી બને છે અને આખો દોઢ કલાકનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે બાળકોને એમ થાય કે હજુ વધારે હોત તો કેવું સારુ!!!

કાર્યક્રમને રૂપરેખા આપનાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી માનવભાઈ કહે છે કે અક્ષરમાં જનરલ નોલેજ એક વિષય તરીકે તો ભણાવાય જ છે, કે જેથી બાળકો ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે અત્યારથી કેળવાય પરંતુ અંતે તો તે પુસ્તકિયું જ્ઞાન થઇ જાય છે. જેથી બાળકોને રસ પડે એવો માર્ગ શોધવામાં ‘KBC’ એ ખાસી મદદ કરી. એવું જ ‘KBC’ જો શાળામાં રમાય તો બાળકો એમાં જોડાઈને જનરલ નોલેજના ખજાનાને સમૃદ્ધ કરી શકે. માટે KBC જેવું સેટઅપ, મ્યુઝિક, અને દરેક રાઉન્ડમાં જેમ જેમ બાળક જીતે એને નાની નાની કેશ રકમ મળતી જાય.છેલ્લા રાઉન્ડના અંતે જો બધા સાચા જવાબ હોય તો બાળક 85/- રુપિયા અને એક પેન જીતીને ઘરે જાય. દરેક ધોરણમાંથી 6 થી 7 વિદ્યાર્થી ડ્રો સિસ્ટમથી હોટ સીટ પર આવે અને કોઈ સવાલનો જવાબ ના આવડે તો લાઈફલાઈન તો ખરી જ.

માનવભાઈ જોષીના કહેવા મુજબ દરેક શાળાએ આવું આયોજન કરવું જોઈએ અને બાળકમાં સામાન્ય જ્ઞાનના બીજ રોપવા જોઈએ, શું ખબર એમાંથી જ કોઈ વીરલાઓ ભવિષ્યમાં ‘KBC’ માં પહોંચી પોતાના ભાવિને આર્થિક સવલત પૂરી પાડી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...