Tuesday, January 20, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, KBC-કોન બનેગા કરોડપતિની થીમ ઉપર વિદ્યાર્થીઓની ક્વિઝનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા છેલ્લા 49 વર્ષથી સતત અને સુંદર શિક્ષણ આપતી સંસ્થા તરીકે નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા છે.પ્રાથમિક વિભાગ ચલાવતી અક્ષર પ્રાથમિક શાળા અભ્યાસની સાથે નવીનતામ ઈતરપ્રવૃત્તિ માટે પણ જાણીતી છે.

ભારતીય ટીવી વર્લ્ડના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમ ઉપર એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ સ્વરૂપ શાળામાં ‘કૌન બનેગા અક્ષરપતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા જીણામાં જીણી બાબતોને અભિવ્યક્તિમાં વણી લઈને એવું આયોજન કરે છે કે તેમાં બાળકોથી લઈને માતા-પિતાને પણ જોડાવાનો ઉત્સાહ જાગે છે.પછી એ “કૌન બનેગા અક્ષરપતિ” નો સેટ હોય, મ્યુઝિક હોય, હોસ્ટિંગ હોય કે પછી વિવિધ રાઉન્ડ હોય ;દરેક બાળક તેમાં સહભાગી બને છે અને આખો દોઢ કલાકનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે બાળકોને એમ થાય કે હજુ વધારે હોત તો કેવું સારુ!!!

કાર્યક્રમને રૂપરેખા આપનાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી માનવભાઈ કહે છે કે અક્ષરમાં જનરલ નોલેજ એક વિષય તરીકે તો ભણાવાય જ છે, કે જેથી બાળકો ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે અત્યારથી કેળવાય પરંતુ અંતે તો તે પુસ્તકિયું જ્ઞાન થઇ જાય છે. જેથી બાળકોને રસ પડે એવો માર્ગ શોધવામાં ‘KBC’ એ ખાસી મદદ કરી. એવું જ ‘KBC’ જો શાળામાં રમાય તો બાળકો એમાં જોડાઈને જનરલ નોલેજના ખજાનાને સમૃદ્ધ કરી શકે. માટે KBC જેવું સેટઅપ, મ્યુઝિક, અને દરેક રાઉન્ડમાં જેમ જેમ બાળક જીતે એને નાની નાની કેશ રકમ મળતી જાય.છેલ્લા રાઉન્ડના અંતે જો બધા સાચા જવાબ હોય તો બાળક 85/- રુપિયા અને એક પેન જીતીને ઘરે જાય. દરેક ધોરણમાંથી 6 થી 7 વિદ્યાર્થી ડ્રો સિસ્ટમથી હોટ સીટ પર આવે અને કોઈ સવાલનો જવાબ ના આવડે તો લાઈફલાઈન તો ખરી જ.

માનવભાઈ જોષીના કહેવા મુજબ દરેક શાળાએ આવું આયોજન કરવું જોઈએ અને બાળકમાં સામાન્ય જ્ઞાનના બીજ રોપવા જોઈએ, શું ખબર એમાંથી જ કોઈ વીરલાઓ ભવિષ્યમાં ‘KBC’ માં પહોંચી પોતાના ભાવિને આર્થિક સવલત પૂરી પાડી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...