Wednesday, March 11, 2026

વસ્ત્રાલમાં બની રહેલા શાક માર્કેટનો રહીશોએ કર્યો વિરોધ, MLAને કરી રજૂઆત, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલાં શાકમાર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી રહી છે, અમદાવાદમાં વસ્ત્રાલમાં નજીકના ગામડાઓમાંથી શાકભાજીઓ લાવી વધુ વેચાણ કરવા, ખેડૂતોને બજાર મળી રહે તે માટે શાક માર્કેટ બનાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પરંતુ અહીં રહેતા લોકો ખાસ કરીને વસ્ત્રાલની ચિત્રકૂટ બંગ્લોઝ, વેદાંત ફ્લેટ, નીલકંઠ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે.

આ મુદ્દે વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.

સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બને તો ગંદકીનું પ્રમાણ વધે, દૂષણ વધે તેથી પાણી પહેલા પાળ બાંધવાની રહીશોએ શરૂઆત કરી છે. માહિતી મુજબ રહીશોએ જુલાઈ મહિનામાં પોલીસને, કોર્પોરેટરને જાણ કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. બાદમાં 2 મહિના અગાઉ પણ પોતાની રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખરે વસ્ત્રાલના રહીશો રાત્રે 11 વાગ્યે MLAના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા. રહીશોએ જણાવ્યું કે કાઉન્સિલરે અમારીની રજૂઆત ન સાંભળતા MLAને રજૂઆત કરવી પડી છે. રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ MLAનો સહારો લીધો છે. MLA બાબુસિંહ જાદવે રજૂઆત સાંભળી નિરાકરણની બાંહેધરી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...