Saturday, January 24, 2026

વસ્ત્રાલમાં બની રહેલા શાક માર્કેટનો રહીશોએ કર્યો વિરોધ, MLAને કરી રજૂઆત, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલાં શાકમાર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી રહી છે, અમદાવાદમાં વસ્ત્રાલમાં નજીકના ગામડાઓમાંથી શાકભાજીઓ લાવી વધુ વેચાણ કરવા, ખેડૂતોને બજાર મળી રહે તે માટે શાક માર્કેટ બનાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પરંતુ અહીં રહેતા લોકો ખાસ કરીને વસ્ત્રાલની ચિત્રકૂટ બંગ્લોઝ, વેદાંત ફ્લેટ, નીલકંઠ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે.

આ મુદ્દે વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.

સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બને તો ગંદકીનું પ્રમાણ વધે, દૂષણ વધે તેથી પાણી પહેલા પાળ બાંધવાની રહીશોએ શરૂઆત કરી છે. માહિતી મુજબ રહીશોએ જુલાઈ મહિનામાં પોલીસને, કોર્પોરેટરને જાણ કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. બાદમાં 2 મહિના અગાઉ પણ પોતાની રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખરે વસ્ત્રાલના રહીશો રાત્રે 11 વાગ્યે MLAના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા. રહીશોએ જણાવ્યું કે કાઉન્સિલરે અમારીની રજૂઆત ન સાંભળતા MLAને રજૂઆત કરવી પડી છે. રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ MLAનો સહારો લીધો છે. MLA બાબુસિંહ જાદવે રજૂઆત સાંભળી નિરાકરણની બાંહેધરી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...