Monday, January 19, 2026

અમદાવાદની આ સ્કૂલને નોટિસ, નિયત કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નિયત કરતા વધારે ફી લેતી એક સ્કૂલને નોટિસ ફટકારી છે. ચાંદખેડાની સાકાર સ્કૂલ એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધારે ફી ઊઘરાવી રહી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી બેના બદલે ત્રણ ટર્મની ફી વસૂલી હતી. આ મામલે વાલીઓએ ફરિયાદ કરતા ડીઈઓએ સ્કૂલને કારણ દર્શક નોટિસ આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડાની સાકાર સ્કૂલને ફી કમિટીએ નક્કી કર્યા કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. વાલીની ફરિયાદને આધારે ડીઈઓ દ્વારા સ્કૂલને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ છે. વાલી અને સ્કૂલ બંનેએ ફી મુદ્દે આધાર અને દસ્તાવેજો સાથે હાજર રહેવાના આદેશ કરાયા છે.

ફી કમિટીએ નક્કી કરેલી ફી કરતાં સ્કૂલો વધારે ફી ન લઈ શકે. ઘણી વાર સ્કૂલો ઇત્તર પ્રવૃત્તિના નામે સ્કૂલો વધારે ફી ઉઘરાવે છે. વાલી પર દબાણ કરીને તેમાં ભાગ લેવા જણાવે છે, પરંતુ નિયમ મુજબ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સ્કૂલો કરી શકે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...