Wednesday, March 4, 2026

અમદાવાદની આ સ્કૂલને નોટિસ, નિયત કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નિયત કરતા વધારે ફી લેતી એક સ્કૂલને નોટિસ ફટકારી છે. ચાંદખેડાની સાકાર સ્કૂલ એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધારે ફી ઊઘરાવી રહી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી બેના બદલે ત્રણ ટર્મની ફી વસૂલી હતી. આ મામલે વાલીઓએ ફરિયાદ કરતા ડીઈઓએ સ્કૂલને કારણ દર્શક નોટિસ આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડાની સાકાર સ્કૂલને ફી કમિટીએ નક્કી કર્યા કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. વાલીની ફરિયાદને આધારે ડીઈઓ દ્વારા સ્કૂલને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ છે. વાલી અને સ્કૂલ બંનેએ ફી મુદ્દે આધાર અને દસ્તાવેજો સાથે હાજર રહેવાના આદેશ કરાયા છે.

ફી કમિટીએ નક્કી કરેલી ફી કરતાં સ્કૂલો વધારે ફી ન લઈ શકે. ઘણી વાર સ્કૂલો ઇત્તર પ્રવૃત્તિના નામે સ્કૂલો વધારે ફી ઉઘરાવે છે. વાલી પર દબાણ કરીને તેમાં ભાગ લેવા જણાવે છે, પરંતુ નિયમ મુજબ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સ્કૂલો કરી શકે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...