Friday, January 16, 2026

ST ની મહાકુંભ Volvo bus સર્વિસને જોરદાર પ્રતિસાદ; કલાકોમાં જ બુકિંગ ફૂલ થઈ ગયું, શ્રદ્ધાળુઓની માગ

spot_img
Share

અમદાવાદ : પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ સ્નાન માટે ST વિભાગની વોલ્વો બસોને દોડાવાનો પ્લાનિંગ છે. ત્યારે સોમવારથી શરૂ થયેલી આ સેવાઓ માટે માત્ર બે કલાકમાં જ બસોના બુકિંગ ફૂલ થઈ ગયા હતા. 26 ફેબ્રુઆરી સુધી બુકિંગની તમામ સીટ ફૂલ થઈ હોવાને કારણે યાત્રીઓમાં નિરાશા જોવા મળી છે.અમદાવાદમાંથી દરરોજ ઉપડતી ST બસો પણ સંપૂર્ણ રીતે બુક થઈ ચૂકી છે. પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને ST વિભાગ હવે વધારાની બસોની ટ્રીપ શરૂ કરવાની તૈયારી કરે તેવી શ્રધ્ધાળુઓ માંગ કરી રહ્યા છે, જેથી વધુ યાત્રીઓને મહાકુંભના પવિત્ર સ્નાન માટે જવાની તક મળી શકે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદથી પ્રયાગરાજની એસી વોલ્વો બસ સર્વિસ આવતીકાલે 27 જાન્યુઆરીથી શરૂ થવાની છે, જેના માટે ઓનલાઈન બુકિંગ ગઈ કાલે શનિવારે 25 જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગ મેળવવા પણ ભારે પડાપડી જોવા મળી રહી છે, બુકિંગ શરુ થયાની થોડી જ કલાકોમાં તમામ 30 દિવસની બસનું બુકિંગ થઇ ગયું છે.ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ 1380 ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાએ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કરતાં 25 ફેબ્રુઆરી સુધી ‘બુક’ બતાવતા તેઓ નિરાશ થયા હતા.

મહા કુંભ મેળામાં હાજરી આપવા માટે ગુજરાતના યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો ઓપ્શન મળી એ ઉદ્દેશ્યથી આ બસ સર્વિસ શરુ કરવામાં આવી છે. GSRTC એ એક મુસાફર દીઠ રૂ. 8,100 ના ભાવે 3-રાત્રિ, 4-દિવસનું ખાસ પેકેજ પણ રજૂ કર્યું છે.

ઘણા સંભવિત મુસાફરોને બુકિંગ મેળવવામાં મુશ્કેલી પડી હતી. ફ્લાઇટના ઊંચા રેસ્ટ અને ટ્રેન રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીને કારણે, ઘણા શ્રદ્ધાળુઓ એસી વોલ્વો બસનું બુકિંગ શરુ થવાની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ ફક્ત થોડા કલાકોમાં તમામ સીટો બુક થઇ ગઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...