Wednesday, January 21, 2026

અમદાવાદમાં વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી વેપારીએ જિંદગી ટૂંકાવી, ચાર લોકો સામે ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કંપનીમાં પેમેન્ટ ફસાતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટર વેપારીએ સુસાઈડ કરી લેતા ચકચાર મચી છે. કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાસણા વિસ્તારમાં આવેલા ભાલેશ્વર સોસાયટીમાં રહેતા જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસ સ્ટેશનમાં કિશોર, શ્યામલાલ મિત્તલ, હિમાંશુ મત્તલ અને ધવલસિંહ જાદવ વિરૂદ્ધ વ્યાજખોરી, આત્મહત્યાની દુષપ્રેરણા તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. જીગ્નેશ માતા, પિતા, પત્નિ બાળકો તેમજ ભાઇ સાથે રહે છે અને શક્તિ એન્ટરપ્રાઇઝ નામથી સિવિલ કોન્ટ્રક્ટના કામ કરીને ગુજરાન ચલાવે છે. જીગ્નેશ જ્યા પણ કોન્ટ્રાક્ટ રાખે ત્યા તે સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. જીગ્નેશના પિતા જીતુભાઇ છેલ્લા 35 વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. જીતુભાઈએ અપૂર્વા કિર્તી ઈન્ફ્રાસ્ટકચર પ્રાઈવેટ લિમિટેડ પાસેથી સાણંદના વિરોચન નગર રેલવે સ્ટેશન પર બિલ્ડીંગ, ક્વાટર બનાવવા સહિતનું કામ રાખ્યું હતું.

જીતુભાઈએ એગ્રીમેન્ટ મુજબ કન્સ્ટ્રક્શનનું કામ કર્યા બાદ અલગ અલગ રકમના કુલ 1.31 કરોડના 6 બીલ કંપનીને આપ્યા હતા. જેમાં કંપનીએ કાચામાલ તરીકે આપેલા લોખંડના સળીયા, સિમેન્ટ, ક્રોંકરિટ સહિતના માલના કુલ 54.64 લાખ રૂપિયા કાપીને બીજા 57.82 લાખ રૂપિયા જીતુભાઈના ખાતામાં નાખ્યા હતા.જો કે જીતુભાઈએ કરેલા કામના કુલ રૂપિયા 62 લાખ 45 હજાર લેવાના નીકળતા હતા.

જે અનેક વખત માગણી કરવા છતાં ચુકવવામાં આવ્યા ના હતા. જ્યારે તેમણે ખોરજના ધવલસિંહ જાદવ પાસેથી રૂપિયા 6 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. ધવલસિંહ પણ જીતુભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી તેમણે કંટાળીને 26મી ડિસેમ્બરના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જીતુભાઈએ આપઘાત કરવા પાછળનું કારણ કોમ્પ્યુટરમાં ઈંગ્લિશમાં લખ્યું છે તેમાં તેમની સહી નથી.ત્યારે આ નોટને સુસાઈડ નોટ ગણવી કે કેમ તે બાબતે લીગલ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે.

જો કે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું છે કે અગાઉ પણ મૃતક જીતુભાઈએ 12 ઓક્ટોબર 2023ના દિવસે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તેમના પુત્ર જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસને જાણ કરતાં વાસણા પોલીસે કિશોર પપ્પુ અપુર્વા કિર્તી ઈન્ફ્રા સ્ટક્ચર પ્રા.લીના પ્રોજેક્ટ મેનેજર, શ્યામલાલ મિત્તલ એમડી, હિમાંશુ મિત્તલ કો ઓર્ડીનેટર અને ધવલસિંહ જાદવ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...