Sunday, January 25, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી ઘરમાં જ લાખના મુદ્દામાલની કરી ચોરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સાવકા પિતાએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી સગીરા સામે કાર્યવાહી કરીને તેના પ્રેમીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં આવેલ ક્લબ ઓ સેવન પાસે રહેતા 43 વર્ષીય આધેડ ડી.જે. ચલાવવાની ફર્મ ધરાવે છે. આધેડે પોતાની કિંમતી વસ્તુઓ, રોકડા અને દાગીના મુકવા માટે રૂમના કબાટમાં એક લોકર રાખ્યું હતું. ગત સપ્ટેમ્બર માસમાં આધેડને એક્ટિવાના કાગળો લોકરમાં મૂકવાના હોવાથી તેમણે કબાટ ખોલ્યું ત્યારે લોકર ગાયબ હતું. આધેડે ઘરમાં તપાસ કરતા લોકર મળી આવ્યું નહોતું. લોકરમાં પાસપોર્ટ, જરૂરી ડોક્યુમેન્ટ, બંદૂકનું લાયસન્સ, બાર બોર બંદૂકના 22 જીવતા કારતુસ અને સોનાના દાગીના સહિત 1.57 લાખની મતા હતી.

લોકરની ચોરી થઈ હોવાની શંકા દાખવીને તેમણે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે સાવકી સગીર પુત્રી અને તેનો પ્રેમી ઋતુરાજ ચાવડા ચોરી કરીને જતા દેખાયા હતા. બંને પ્રેમી પંખીડા પુંઠાના બોક્સમાં લોકર મૂકીને ચોરી કરીને એક્ટિવા પર ભાગતા હતા. જેથી આધેડે સાવકી સગીર પુત્રીની પૂછપરછ કરતા તેણે આ મામલે કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી આખરે આધેડને પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. આધેડે આ મામલે બોપલ પોલીસને જાણ કરતા પોલીસે સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપી ઋતુરાજ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં સગીરાએ પ્રેમી સાથે મળીને તમામ રોકડ વાપરી નાખીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. આરોપી ઋતુરાજ મૂળ માણસાનો છે અને સેલ્સમેનની નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.સગીરા અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડાને બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ-12માં અભ્યાસ કરે છે, બંને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ. સમય જતા બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા પરંતુ બંનેને હરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બંને મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા પોતાની સાવકી માતા સાથે રહેતી હતી. સાવકી માતાએ જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સગીરા અને તેના મિત્રે લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અગાઉ સગીરા અને તેના મિત્રએ ચોરી કરી હતી કે કેમ કે તે અંગે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...