Wednesday, January 21, 2026

અમદાવાદથી પ્રયાગરાજ લઈ જશે આ 11 સ્પેશિયલ ટ્રેન, આ રહી સંપૂર્ણ જાણકારી

spot_img
Share

અમદાવાદ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો મહાકુંભમાં પહોંચવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.

અમદાવાદથી મહાકુંભ મેળા ટ્રેનનું લિસ્ટ

ટ્રેનનું નામ ટ્રેન ઉપડવાનો સમય ટ્રેન પહોંચવાનો સમય મુસાફરીનો સમય ક્યારે ચાલે છે ભાડું
અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ (ADI GKP EXP 19489) સવારે 9.10 વાગ્યે બીજા દિવસે સવારે 8.45 વાગ્યે 23.35 કલાક સોમવાર સિવાય બધા દિવસો સ્લીપર ક્લાસ: 565 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1510એસી 2 ટાયર: 2,180 રૂપિયા
ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ઓખા BSS SF એક્સપ્રેસ 22969) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10.50 વાગ્યે 23.35 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 620 રૂપિયાએસી 3 ટાયર રૂ. 1630એસી 2 ટાયર: 2,335 રૂપિયાફર્સ્ટ ક્લાસ એસી રૂ. 3955
અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ADI PRYJ SFAST 22967) સાંજે 4.30 વાગ્યે બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે 24.20 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 650 રૂપિયાએસી 3 ટાયર: 1,700 રૂપિયાએસી 2 ટાયર: 2,440 રૂપિયા
અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ (ADI આસનસોલ એક્સપ્રેસ 19435) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ફક્ત ગુરુવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ બરૌની એક્સપ્રેસ (ADI BJU EXP 19483) બપોરે 12.35 વાગ્યે બીજા દિવસે સવારે 7.18 વાગ્યે 30.43 કલાક ગુરુવાર સિવાય બધા દિવસો ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ (HWH ગર્ભા એક્સપ્રેસ 12937) રાત્રે 11.15 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત શનિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ પટના એક્સપ્રેસ (ADI PNBE એક્સપ્રેસ 19421) રાત્રે 9.40 વાગ્યે બીજા દિવસે રાત્રે 8 વાગ્યે 22.50 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (બનારસ SF EXP 12945) બપોરે 1.45 વાગ્યે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે 22.30 કલાક ફક્ત રવિવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અઝીમાબાદ એક્સપ્રેસ (અઝીમાબાદ એક્સપ્રેસ 12947) રાત્રે 9.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 9.25 વાગ્યે 23.35 કલાક ફક્ત સોમવાર-બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ જંઘાઈ સ્પેશિયલ ટ્રેન (ADI JNH સ્પેશિયલ 09403) રાત્રે 9.15 વાગ્યે બીજા દિવસે બપોરે 1 વાગ્યે 27.50 કલાક ફક્ત બુધવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર રૂ. 2550.
પારસનાથ એક્સપ્રેસ (પારસનાથ એક્સપ્રેસ 12941) રાત્રે 10.50 વાગ્યે બીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે 22.50 કલાક ફક્ત મંગળવારે જ ચાલે છે સ્લીપર ક્લાસ: 660 રૂપિયાએસી 3 ટાયર: 1,760 રૂપિયાએસી 2 ટાયર: 2550 રૂપિયા

 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા 2025 માટે પશ્ચિમ વિભાગ ગુજરાતમાંથી 7 પેર સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે.

મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નામ
ઉધના – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09031/09032
વલસાડ – દાનાપુર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09019/09020
વાપી – ગયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09021/09022
વિશ્વામિત્રી – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09029/09030
સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414
સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422
ભાવનગર – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09555/09556

પ્રયાગરાજ માટે અમદાવાદથી દરરોજ AC વોલ્વો બસ
ગુજરાતના શ્રદ્ધાળુંઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડે છે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળે છે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 છે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થઈ ગયો છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ મારફતે કરી શકાય છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...