Sunday, January 25, 2026

નવા વાડજની પ્રથમ ઘટના, મહાત્મા પાર્ક સોસાયટીનું થશે રિડેવલપમેન્ટ, ફોર્ચ્યુન-94 આકાર લેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અનેક સોસાયટીઓનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં જૂની સોસાયટીઓ પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગો બની રહી છે. તેમાં જૂની સોસાયટીના રહેવાસીઓને પણ ફાયદો છે કારણ કે તેમને નવું મકાન મળે છે, અને ડેવલપરને પણ ફાયદો થાય છે કારણ કે તે વધારે યુનિટ્સ ડેવલપ કરીને તેનું વેચાણ કરી શકે છે.ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં સભ્યો વચ્ચે સર્વસંમતિ સધાતા ટૂંક સમયમાં નવા નામ ફોર્ચ્યુન-94 સાથે રિડેવલપમેન્ટ સ્કીમનો પ્રારંભ થનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં આવેલ 42 વર્ષ જૂની મહાત્મા પાર્ક સોસાયટી પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ બનવા જઈ રહી છે, રિડેવલપમેન્ટને લઈને તમામ સભ્યોમાં સર્વસંમતિ થતા મહાત્મા પાર્ક સોસાયટી હવે ડેવલપર ફોર્ચ્યુન ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં નવા નામ સાથે ફોર્ચ્યુન-94 (લકઝરીયસ ફ્લેટ) આકાર લેશે. નવા બનનાર ફ્લેટમાં લિપ, દરેક રહીશોને પોતાનું પાર્કિંગ તથા નવા રહીશોને ઈલોટેડ કાર પાર્કિંગ સહીત બે બેઝમેન્ટ પાર્કિંગ, બ્લૅન્કવેટ હોલ, બાળકોને માટે ગાર્ડન, બાળકો માટે બોક્સ ક્રિકેટ, આધુનિક જીમ, ઇન્ડોર ગેમ ઝોન, નવા મકાન વધુ મોટા મળશે, નવી 36 (18+18) વિશાળ શો રૂમ અને લકઝરીયસ ઓફિસ બનશે, સોસાયટી રિડેવલપમેન્ટમાં જતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફોર્ચ્યુન ગ્રુપના મેહુલ પટેલ જણાવ્યું કે અમે અહીં 3 બીએચકેના 94 યુનિટ લકઝરીયસ ફ્લેટ અને (18+18) વિશાળ શો રમ અને લકઝરીયસ ઓફિસ બનાવવાની યોજના ધરાવીએ છીએ. કારણ કે હાલમાં સમગ્ર એરિયામાં પ્રીમિયમ કેટેગરીના મકાનોની ડિમાન્ડ છે. અમે ટૂંક સમયમાં ભુમીપુજન કરીને સ્કીમનો પ્રારંભ કરીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...