અમદાવાદ : અમદાવાદમાં અનેક સોસાયટીઓનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં જૂની સોસાયટીઓ પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગો બની રહી છે. તેમાં જૂની સોસાયટીના રહેવાસીઓને પણ ફાયદો છે કારણ કે તેમને નવું મકાન મળે છે, અને ડેવલપરને પણ ફાયદો થાય છે કારણ કે તે વધારે યુનિટ્સ ડેવલપ કરીને તેનું વેચાણ કરી શકે છે.ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં સભ્યો વચ્ચે સર્વસંમતિ સધાતા ટૂંક સમયમાં નવા નામ ફોર્ચ્યુન-94 સાથે રિડેવલપમેન્ટ સ્કીમનો પ્રારંભ થનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં આવેલ 42 વર્ષ જૂની મહાત્મા પાર્ક સોસાયટી પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ બનવા જઈ રહી છે, રિડેવલપમેન્ટને લઈને તમામ સભ્યોમાં સર્વસંમતિ થતા મહાત્મા પાર્ક સોસાયટી હવે ડેવલપર ફોર્ચ્યુન ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં નવા નામ સાથે ફોર્ચ્યુન-94 (લકઝરીયસ ફ્લેટ) આકાર લેશે. નવા બનનાર ફ્લેટમાં લિપ, દરેક રહીશોને પોતાનું પાર્કિંગ તથા નવા રહીશોને ઈલોટેડ કાર પાર્કિંગ સહીત બે બેઝમેન્ટ પાર્કિંગ, બ્લૅન્કવેટ હોલ, બાળકોને માટે ગાર્ડન, બાળકો માટે બોક્સ ક્રિકેટ, આધુનિક જીમ, ઇન્ડોર ગેમ ઝોન, નવા મકાન વધુ મોટા મળશે, નવી 36 (18+18) વિશાળ શો રૂમ અને લકઝરીયસ ઓફિસ બનશે, સોસાયટી રિડેવલપમેન્ટમાં જતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફોર્ચ્યુન ગ્રુપના મેહુલ પટેલ જણાવ્યું કે અમે અહીં 3 બીએચકેના 94 યુનિટ લકઝરીયસ ફ્લેટ અને (18+18) વિશાળ શો રમ અને લકઝરીયસ ઓફિસ બનાવવાની યોજના ધરાવીએ છીએ. કારણ કે હાલમાં સમગ્ર એરિયામાં પ્રીમિયમ કેટેગરીના મકાનોની ડિમાન્ડ છે. અમે ટૂંક સમયમાં ભુમીપુજન કરીને સ્કીમનો પ્રારંભ કરીશું.


