Thursday, March 12, 2026

અમદાવાદના 20 અંડરપાસમાં ઓટોમેટિક સેન્સરવાળા બેરિયર લાગશે, વરસાદી પાણી ભરાશે એટલે ફાટક બંધ થઈ જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિવિધ અંડરપાસમાં ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડે છે. અંડરપાસમાં પાણીનું સ્તર જાણવા માટે શહેરના 20 અંડરપાસમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવવામા આવશે.અંડરપાસમાં પાણીનુ લેવલ 2 ફૂટથી વધશે તો બુમ બેરીયર આપોઆપ બંધ થઈ જશે. જેથી વાહનચાલકો અંડરપાસનો ઉપયોગ કરી શકશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ.એ શહેરના 20 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવા પાછળ રૂપિયા 2.96 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. લાઇડર આધારીત વોટર લેવલ સેન્સર મારફેત અંડરબ્રીજમાં છત ઉપર લગાવવામાં આવેલા સેન્સર સતત રોડ પર એકત્રીત થતાં પાણીના લેવલની ચકાસણી કરશે. તે ઉપરાંત અંડરબ્રિજમાં દીવાલ પર લગાવેલા તથા ફૂટપાથ પર લગાવેલા વોટર ડિટેક્શન સેન્સર મારફતે પાણી ભરાવાનું શરૂ થતાં વોટર લેવલ મોનિટરિંગની કામગીરી શરૂ થશે. દર 10 સેકન્ડે પાણીના લેવલની વિગત કંટ્રોલ રૂમમાં મોકલશે, તથા સોફ્ટવેર મારફતે પાણીનું લેવલ માહિતી કંટ્રોલ રૂમને મોકલશે.

તમને જણાવી દઈએ કે મ્યુનિ.એ ગત વર્ષે અખબારનગર અંડરપાસમાં લાઈડર લેવલ સેન્સર અને વોટર સેન્સરનો એક પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં અહીં સેન્સર આધારિત ઓટોમેટિક બૂમ બેરિયર લગાવ્યા હતા. જેથી અંડરપાસમાં પાણીનું લેવલ 2 ફૂટથી વધે કે તરત જ ફાટક બંધ થઈ જતા હતો.

આ અગાઉ ચોમાસામાં અંડરપાસ ભરાઈ ન જાય તે માટે એક વ્યક્તિને રાખીને મોનિટરિંગ કરાવવામાં આવ્યું હતું. પાણી ભરાય તો કર્મચારી દ્વારા ફાટક બંધ કરી વાહનોને જતા અટકાવવામાં આવતા હતા.જો કે ક્યારેક ફાટક બંધ કરવામાં વિલંબ થાય તો અકસ્માતની શક્યતા રહેતી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...