Thursday, January 15, 2026

અમદાવાદનો આ અંડરબ્રિજ 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરાશે, 2 લાખ વાહન ચાલકને અસર

spot_img
Share

અમદાવાદ : ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જવા માગતા વાહનચાલકોએ ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટક થઈને જવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેના અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આગામી 2 ફેબ્રુઆરીથી એક તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે એક તરફની સાઈડનું સમારકામ ચાલશે, ત્યારે અન્ય સાઈડ ખુલ્લી રાખવામાં આવશે. અન્ડરબ્રિજનું એક સાઈડનું કામ પૂર્ણ થાય એટલે 10 દિવસ બાદ અન્ડરબ્રિજનો બીજો ભાગ પણ વાહનો માટે બંધ કરવામાં આવશે.

શહેરના ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજનો એક તરફનો રોડ બંધ કરાશે. ઈન્કમટેક્સ અન્ડરબ્રિજથી રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. ટ્રાફિકમાં ના ફસાવું હોય તો વાહનચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકશે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે.

વૈકલ્પિક માર્ગ
ઉસ્માનપુરા અંડરબ્રિજથી
સ્ટેડિયમ પાંચ રસ્તા ખૂબજ સાંકડો રસ્તો છે. આ સ્થળે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ઉસ્માનપુરા અંડરબ્રિજથી સીજી રોડ જવું હોય તો વાહનચાલકે દોઢથી બે કિલોમીટર જેટલું ફરવું પડશે.
નવરંગપુરા ક્રોસિંગ
ઈન્કમટેક્સ અંડરબ્રિજમાંથી ના જવું હોય તો નવરંગપુરા ક્રોસિંગ થઈ જઈ શકાશે. સામાન્ય સંજોગોમાં પણ મીઠાખળી તરફથી અને સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતો ટ્રાફિક તેમજ સામે ટાઈમ્સ ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકને કારણે કેટલીક વખત જામના દૃશ્યો સર્જાય છે.
નવજીવન પ્રેસ પાસેનો અંડરપાસ
નવજીવન પ્રેસ પાસે રેલવેનો સાંકડો અંડરપાસ છે. વાહનચાલકો એ રોડ ઉપયોગ કરે તો ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, આ રોડ પણ ખૂબ જ સાંકડો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...