Tuesday, January 20, 2026

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : કેનેડાના વિઝા કઢાવવાનું કહી બે જણાના 50 લાખ ખંખેર્યા

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા લોકો સામે કાર્યવાહી બાદ પણ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી. અમદાવાદમાં બે મિત્રોને વિદેશ જવાની ઘેલછા ભારે પડી છે. તેઓએ કેનેડા જવું હોવાથી એક એજન્ટે તેમની પાસેથી કુલ 50 લાખ લઈને વિઝા નહીં આપી ઠગાઈ આચરી હતી. જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપી એજન્ટ રાહુલ શાહની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રાંચરડામાં રહેતા મનોજભાઇ પટેલ અને તેમના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને દોઢ વર્ષ પહેલાં વર્ક પરમિટ વિઝા પર કેનેડા જવું હતું. મનોજભાઇના ભાણાએ અમદાવાદના ગોતામાં બ્લ્યૂસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક રાહુલ શાહ પાસે વિઝાનું કામ કરાવ્યુ હોવાથી મનોજભાઇ પણ રાહુલ શાહની ઓફિસે ગયા હતા. રાહુલ શાહે એક વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો 25 લાખ ખર્ચ કહીને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં પ્રોસેસ શરૂ કરી દીધી હોવાનું કહીને કેનેડાનો એપ્લિકેશન લેટર બતાવીને વધુ નાણાં મેળવી લીધા હતા.

આરોપી રાહુલ શાહે પીપીઆર રિકવેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લીયર કરી દેવાનું કહીને વધુ નાણાં પણ મેળવી લીધા હતા. પાસપોર્ટ જમા કરાવીને પરત આવી ગયા બાદ પણ વિઝા ન મળતા ભોગ બનનારે રાહુલ શાહનો સંપર્ક કરતા વિઝા નહીં મળે તો નાણાં પરત આપવાની બાંહેધરી આપી હતી. આરોપી 50 લાખ મેળવીને લાંબા સમય સુધી વિઝાનું કામ ન કરી આપીને ઓફિસ અને ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સોલા પોલીસે આરોપી રાહુલ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...