Wednesday, March 11, 2026

અમદાવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે 7 અધિકારીઓ સામે અંતે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં બહુચર્ચિત અને સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના 7 એન્જીનિયર અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. વિજીલન્સ તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલાં હાટકેશ્વર બ્રિજમાં માત્ર 5 જ વર્ષમાં પુલ ખરાબ થવા લાગ્યો હતો. ગાબડા પડતા, વાહનચાલકોને જીવનું જોખમ હતું તેથી તેના સમારકામ અંગે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસનીસ અધિકારીઓને કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં શંકા ઊભી થઈ હતી. બાદમાં ગુણવત્તાયુક્ત બ્રિજ બનાવવામાં આવ્યો ન હોવાનું સાબિત થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

બ્રિજના નિર્માણકાર્યમાં ટેસ્ટ રિપોર્ટ પણ સંતોષકારક ન હોવાનું જણાતા તપાસ આગળ વધારાઈ હતી. લેબોરેટરી રિપોર્ટમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરાતા આખરે તપાસના અંતે સાત અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર તેમજ PMC એજન્સી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચના જોખમે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે, આ નિર્ણયનું હજુ અમલીકરણ કરાયું નથી.

કયા-કયા અધિકારી સામે કયા પ્રકારનાં શિક્ષાત્મક પગલા

મનોજકુમાર સોલંકી તત્કાલીન એ.સી.ઇ નોકરીમાંથી ડિસમિસ કેમ ના કરવા
આશિષભાઇ પટેલ આસી.સિટી.ઇજનેર નોકરીમાથી ડિસમિસ કેમ ના કરવા
અતુલકુમાર પટેલ આસી.ઇજનેર(નિવૃત્ત) પેન્શનમાંથી 11 હજાર દર મહિને કાપવા
પરેશભાઇ શાહ ડે.સી.ઇ(સ્વૈ.નિવૃત્તિ) પેન્શનમાંથી 6300 દર મહિને કાપવા
પરેશભાઇ.એ.પટેલ ડે.સી.ઇ(નિવૃત્ત) પેન્શનમાંથી 6500 દર મહિને કાપવા
હિતેષભાઇ એડિ.ઇજનેર(નિવૃત્ત)15 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે વસુલવી
પરેશભાઇ.ડી.પટેલ ડે.સી.ઇ(નિવૃત્ત) પેન્શનમાંથી દર મહિને 8100 કાપવા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...