Tuesday, January 20, 2026

આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ, આ કચેરીઓમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાયા

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો છે. ત્યારે આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને આજથી ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના DGP વિકાસ સહાયના આદેશ બાદ ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ થઈ છે.જેથી આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યો હોવાથી જે પણ કર્મચારી હેલ્મેટ વગર આવશે તેમની સામે દંડ કરવામા આવી રહ્યા છે. આ માટે રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે.આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવી રહી છે અને જે કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને ફુલ આપવામાં આવે છે અને જે હેલ્મેટ પહેર્યા વગર આવે છે તેમને દંડ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ડીસીપી સફીન હસન અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશતા કર્મચારીઓને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ આરટીઓ કચેરીમાં પણ પોલીસની ડ્રાઇવ યોજવામાં હતી .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસના પરિસરમાં જ જન્મ- મરણ કોર્ટ અને ફૂડ વિભાગની કોર્ટ આવેલી છે. ત્યારે આ કોર્ટમાં આવતા વકીલો પણ હેલ્મેટ પહેર્યા વિના આવ્યા હતા. જેને ટ્રાફિક પોલીસ દ્વારા રોકીને દંડ ફટકારવામાં આવ્યો હતો.ખમાસા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર કચેરીમાં એકલદોકલ લોકો આવતા જતા જોવા મળ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો નિયમોનું પાલન કરીને અંદર જઈ રહ્યા હતા. જ્યાં એક પોલીસની ગાડીના ડ્રાઈવરે સીટબેલ્ટ પહેર્યો નહતો, જેથી ગાડી ચાલકને રોકીને ઈ મેમો આપવામાં આવ્યો હતો.શાહીબાગના બહુમાળી ભવન ખાતે પણ ડ્રાઇવ યોજાઈ હતી.દરમિયાન ટ્રાફિક એસીપી ડી.એસ પુનડિયા અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર હતા. આ ડ્રાઈવ શરૂ થતાં જ બહુમાળી ભવનમાં આવનાર મોટાભાગના લોકો હેલ્મેટ વિના જ જોવા મળ્યા હતા.આ ઉપરાંત AMC પશ્ચિમ ઝોન ઓફિસે કોઈ ડ્રાઇવ યોજાઈ નહિ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની આખરી ઝાટકણી કાઢી હતી અને હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો.ત્યારે હાઈકોર્ટના હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના DGP વિકાસ સહાયએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો.જેમાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ સાથે જે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...