Wednesday, January 21, 2026

ગુજરાત ટાઈટન્સને મળશે નવા ‘ગુજરાતી માલિક’, આ દિગ્ગજ કંપનીએ ખરીદી 67 ટકા ભાગીદારી

spot_img
Share

અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપ 2022 IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સમાં મોટો હિસ્સો ખરીદી શકે છે. એક અહેવાલ મુજબ, ટોરેન્ટ સીવીસી કેપિટલ પાર્ટનર્સ (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) પાસેથી જીટીમાં 67% હિસ્સો ખરીદશે. નવા જીટી માલિકો 2025 સીઝનથી જોડાઈ તેવી શક્યતા છે. હાલમાં, સીવીસી દ્વારા વેચવામાં આવેલા હિસ્સાના મૂલ્યાંકન સહિત અન્ય વિગતોની પુષ્ટિ થઈ શકી નથી. લીગની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવે તે પહેલાં હાલ ડોક્યુમેંટ કાર્યવાહી થઈ રહી છે.

એક અહેવાલ મુજબ, ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સીવીસીએ જીટીને ખરીદવા માટે 2021 માં 5,625 કરોડ (લગભગ 750 મિલિયન ડોલર) ચૂકવ્યા હતા, જેણે તેની પ્રથમ સીઝન (2022) માં આઈપીએલ જીત્યું હતું અને તે પછીના વર્ષે (2023) ફાઇનલમાં પહોંચ્યું હતું અને 2024 માં આઠમું સ્થાન મેળવ્યું હતું. ગુજરાત ટાઈટન્સનું ઘરેલું મેદાન અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. જેમાં એક લાખથી વધુ દર્શકો મુકાબલો નીહાળી શકે છે.

ટીમ ગત સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી અને આ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. હાલમાં ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે અને તેમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન, ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન જોસ બટલર અને ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ સામેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...