Wednesday, January 14, 2026

AMC કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન માટે નિવૃત્ત કર્મચારીઓની કરશે નિમણુક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 88 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતના જાહેર સ્થળોનું યોગ્ય સંચાલન અને જાળવણી કરવામાં થતી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લેતા AMC દ્વારા હવે 24 નિવૃત્ત કર્મચારીઓની નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ મિલકતો જેવી કે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતની જગ્યાઓમાં યોગ્ય જાળવણી અને ધ્યાન આપવામાં આવતું ન હોવાની વારંવાર ઉઠતી ફરિયાદો ઉઠતી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આવી 88 મિલકતોનું યોગ્ય સંચાલન થાય અને ફરિયાદો ન આવે તે માટે 24 જેટલા નિવૃત્ત કર્મચારીની ફિક્સ પગારથી નિમણુંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેઓને માસિક 15000 રૂપિયા પગાર આપવા અંગે આ‌વતીકાલે યોજાનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં કાંકરીયા ખાતે એક કોર્પોરેટરના પ્રસંગ પહેલા જ અગાઉના પ્રસંગ કરનાર વ્યક્તિએ મોડેથી પ્લોટનો કબજો સોંપ્યો હતો. જગ્યા ઉપર સફાઈ કરવામાં આવી નહોતી અને હાડકા પડેલા હોવાને કારણે ગંભીર ફરિયાદ ઉઠી હતી.આ પગલાંથી AMCની કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન અને જાળવણી માટેની કામગીરી સુધરવાની અપેક્ષા છે, જેથી લોકો માટે આ સ્થળો વધુ સુગમ અને વ્યવસ્થિત બની શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...