Thursday, March 5, 2026

AMC કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન માટે નિવૃત્ત કર્મચારીઓની કરશે નિમણુક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 88 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતના જાહેર સ્થળોનું યોગ્ય સંચાલન અને જાળવણી કરવામાં થતી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લેતા AMC દ્વારા હવે 24 નિવૃત્ત કર્મચારીઓની નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ મિલકતો જેવી કે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ, ઓપન એર થીયેટર સહિતની જગ્યાઓમાં યોગ્ય જાળવણી અને ધ્યાન આપવામાં આવતું ન હોવાની વારંવાર ઉઠતી ફરિયાદો ઉઠતી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આવી 88 મિલકતોનું યોગ્ય સંચાલન થાય અને ફરિયાદો ન આવે તે માટે 24 જેટલા નિવૃત્ત કર્મચારીની ફિક્સ પગારથી નિમણુંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેઓને માસિક 15000 રૂપિયા પગાર આપવા અંગે આ‌વતીકાલે યોજાનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં કાંકરીયા ખાતે એક કોર્પોરેટરના પ્રસંગ પહેલા જ અગાઉના પ્રસંગ કરનાર વ્યક્તિએ મોડેથી પ્લોટનો કબજો સોંપ્યો હતો. જગ્યા ઉપર સફાઈ કરવામાં આવી નહોતી અને હાડકા પડેલા હોવાને કારણે ગંભીર ફરિયાદ ઉઠી હતી.આ પગલાંથી AMCની કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના સંચાલન અને જાળવણી માટેની કામગીરી સુધરવાની અપેક્ષા છે, જેથી લોકો માટે આ સ્થળો વધુ સુગમ અને વ્યવસ્થિત બની શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...