Tuesday, January 20, 2026

નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નામ નક્કી કરાયું, જાણો શું નામ અને કયારે ઉદ્ઘાટન કરાશે

spot_img
Share

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવા અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. જોકે, શહેરના મેમકો વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્પલેક્ષ આવેલું છે, જેનું નામ પણ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યારે એક જ નામના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે પરંતુ, નારણપુરામાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાથી તેનું નામ વીર સાવરકર કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી વર્ષ 2036 સુધીમાં અમદાવાદને ઓલમ્પિક સીટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં 21 એકરથી વધુની જમીનમાં 761 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ બનીને તૈયાર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવામાં આવ્યું છે. આગામી માર્ચ મહિનામાં ઓલમ્પિક માટે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મળેલી સૂચના મુજબ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવા જણાવવામાં આવ્યું હતું. જે સુચવેલા સુધારા મુજબ રીવાઇઝડ ટેન્ડર કરવામાં આવ્યું હતું. 650 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રોજેક્ટ છ ભાગમાં વહેંચાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અંગે ત્રણ વર્ષ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગના એડિશનલ સીટી ઇજનેર કૃષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 72500 ચોરસ મીટર જગ્યામાં નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પ્લોટમાં વધારો થયો છે. 82,507 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...