Thursday, April 30, 2026

નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નામ નક્કી કરાયું, જાણો શું નામ અને કયારે ઉદ્ઘાટન કરાશે

spot_img
Share

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવા અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. જોકે, શહેરના મેમકો વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્પલેક્ષ આવેલું છે, જેનું નામ પણ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યારે એક જ નામના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે પરંતુ, નારણપુરામાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાથી તેનું નામ વીર સાવરકર કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી વર્ષ 2036 સુધીમાં અમદાવાદને ઓલમ્પિક સીટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં 21 એકરથી વધુની જમીનમાં 761 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ બનીને તૈયાર થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના રમતગમત વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવામાં આવ્યું છે. આગામી માર્ચ મહિનામાં ઓલમ્પિક માટે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મળેલી સૂચના મુજબ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોર્ટસ એરેનામાં ઓલિમ્પિક યોજવા માટે બ્લોક-બી અને બ્લોક-સી વચ્ચે સેનીટાઈઝડ પેસેજ ઉમેરવા જણાવવામાં આવ્યું હતું. જે સુચવેલા સુધારા મુજબ રીવાઇઝડ ટેન્ડર કરવામાં આવ્યું હતું. 650 કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રોજેક્ટ છ ભાગમાં વહેંચાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અંગે ત્રણ વર્ષ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગના એડિશનલ સીટી ઇજનેર કૃષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 72500 ચોરસ મીટર જગ્યામાં નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પ્લોટમાં વધારો થયો છે. 82,507 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...