Tuesday, January 13, 2026

મીઠાખળીમાં બેફામ રફતારનો કહેર, સ્કોડા કારચાલકે 3થી 4 વાહનચાલકોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

spot_img
Share

અમદાવાદ: છેલ્લા થોડા સમયથી નબીરાઓ દ્વારા મનફાવે તેમ ગાડી ચલાવી લોકોને કચડવાનો જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ફરી એક વાર અમદાવાદમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહનચાલકોને અડફેટે લીધા હતા.અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ કારચાલકને ઝડપી માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મીઠાખળી પાસે ભયંકર અકસ્માત થયો છે. સ્કોડા ગાડીએ 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ 1 મહિલા સિરિયસ હાલત હતી જેનું મોત નીપજ્યું છે. કાર ચાલકને મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશન લવાયો છે. નિલેશ પટેલ નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ યુવક નશામાં હોવાની આશંકા પણ કરવામાં આવી છે.મીઠાખળી છ રસ્તા નજીક આવેલ જૈન દેરાસર પાસે શનિવારે સાંજે 6.30 વાગ્યે એક સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા.બાદમાં એક સ્વીફ્ટ કારને અડફેટે લીધા બાદ કાર અથડાતા ઉભી રહી ગઇ હતી.

આ અકસ્માતમાં રોનકબેન પરીખ નામની મહિલાનું મોત પણ થઈ ગયું છે.અન્ય 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. અકસ્માતને પગલે 250 લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. બાદમાં કારચાલકને ઝડપીને માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નિલેશ પટેલને લઈ આવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવા બેફામ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...