Wednesday, January 21, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, ત્યારે ત્રીજી ફ્લાઈટનો આંકડો આવી ગયો

spot_img
Share

અમદાવાદ : અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 119 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમનું હાલમાં અમદાવાદ એરપોર્ટ પર વેરિફિકેશન ચાલી રહ્યું છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પોલીસની ગાડીઓમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આજે રવિવારે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફલો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે. આ પ્લેન રાત્રે 10 વાગ્યે લેન્ડ કરશે. જેમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના અહેવાલો છે.

ગઈકાલે મોડી રાતે 119 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોમાં 8 ગુજરાતી પણ સામેલ હતા. જેમને આજે સવારે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં.

બીજી ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી

રુદ્ર ધવલભાઈ લુહાર – કલોલ
ધવલભાઈ કિરીટકુમાર લુહાર – કલોલ
મિહિર ઠાકોર – ગુજરાત
ધિરજકુમાર કનુભાઈ પટેલ – અમદાવાદ
કેનિશ મહેશભાઈ ચૌધરી – માણસા
દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી – ગુજરાત
આરોહીબેન દીપકુપરી ગોસ્વામી – ગુજરાત
પૂજાબેન દીપકપુરી ગોસ્વામી – ગુજરાત

છેલ્લા 24 કલાકમાં બે ફ્લાઈટ ગેરકાયદેસર ભારતીયોને લઈને ભારત આવી પહોંચી છે. હજી થોડા કલાક પહેલા જ બીજી ફ્લાઈટ આવી હતી, ત્યારે ત્રીજી ફ્લાઈટનું લિસ્ટ પણ આવી ગયું છે. ત્રીજી ફ્લાઈટમાં કુલ 157 ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 20 ગુજરાતીઓ સામેલ છે.

પહેલી ફ્લાઈટ – 37 ગુજરાતી
બીજી ફ્લાઈટ – 8 ગુજરાતી
ત્રીજી ફ્લાઈટ – 20 ગુજરાતી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...