Wednesday, January 21, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ત્રીજા કાફલામાં વધુ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલો ત્રીજો કાફલો ગઈકાલે રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયો હતો. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. હાલ, ચાર ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. જ્યારે બાકીના બપોરની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ અમદાવાદી છે. અમદાવાદના નવ લોકોને અમેરિકામાં ગેરકાયદે વસવાટ બદલ હાંકી કઢાયા છે. જ્યારે ગાંધીનગરથી આઠ લોકોને પરત વતન મોકલાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજ રોજ એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ 29 લોકો ગુજરાત એરપોર્ટ પહોંચ્યા હતા જેમાં સવારે 4 ગુજરાતી સહિત 33 ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. આ ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ, કલોલ, કડી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મહેસાણા ના રહેવાસીઓ હોવાની માહિતી સામે આવી હતી. અમેરિકાના US એરફોર્સના વિમાનમાં 112 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

11 વાગ્યાની ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા હતા અને તેમને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. બપોરે 2 વાગ્યેની ફ્લાઇટમાં વધુ 29 ગુજરાતીઓ સ્વદેશ પરત આવ્યા છે. ગુજરાતીઓમાં અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ લોકો છે. નરોડા,નારણપુરા,કલોલ અને ડિંગુચાના પરિવાર સામેલ છે.અગાઉ 6 ફેબ્રુઆરીએ 33 લોકો આવ્યા હતા જ્યારે 16 ફેબ્રુઆરીએ 8 ગુજરાતી પરત ફર્યા હતા.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાઓની સત્તાવાર યાદીને ધ્યાનમાં લઈએ તો, ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીના કારણે અમેરિકાથી છેલ્લા 12 દિવસમાં કુલ 332થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ ડિપોર્ટેશનના ભાગરૂપે 487 ભારતીયોને પરત મોકલવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

ત્રીજા કાફલામાં ડિપોર્ટ થઈ અમદાવાદ આવનારા 33 ગુજરાતીનાં નામ
સપના ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
​​​​અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
પાયલ અનિલકુમાર પ્રજાપતિ, કલોલ
દીપ ઘનશ્યામભાઈ પટેલ, કડી
સાક્ષીબેન દીપ પટેલ, કડી
હસમુખ રેવાભાઈ પટેલ, વીજાપુર
ધવલભાઈ કિરીટકુમાર લુહાર, કલોલ
પૂજા ધવલભાઈ લુહાર, કલોલ
રુદ્ર ધવલભાઈ લુહાર, કલોલ
નીત તુષાર પટેલ, નરોડા
તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા
ચેતનાબેન તુષાર પટેલ, નરોડા
હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા
ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા
હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા
સ્વાતિ હાર્દિક પટેલ, નરોડા
હેનિલ હાર્દિક પટેલ, નરોડા
દિશા હાર્દિક પટેલ, નરોડા
માહી રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
જય રાજેશ પટેલ, ઘુમાસણ
હારમી રાજેશકુમાર પટેલ, ઘુમાસણ
મંજુલાબેન રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
રાજેશ બળદેવભાઈ પટેલ, ઘુમાસણ
રણજિતભાઈ જયંતીભાઈ રાવલ, માણસા
ચેતનસિંહ ભરતસિંહ રાણા, ડભોડા, ગાંધીનગર
અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ
આરવ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
હિતેશ રમેશભાઈ રામી, સુશિયા
જયેશકુમાર ભોલાભાઈ પટેલ, ડિંગુચા
હિરલબેન જયેશકુમાર પટેલ, ડિંગુચા
પ્રાંશ જયેશકુમાર પટેલ, ડિંગુચા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...