Monday, February 16, 2026

નવા વાડજ સહિત 54 સ્થળોએ નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનશે, બેટરી સ્વેપિંગ મશીન પણ લગાવાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની (EVs) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન (charging stations) પણ હવે મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હાલ PPP મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 16 સ્થળે ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વેપિંગ સ્ટેશન લગાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મનપા દ્વારા PPP ધોરણે નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે અંતર્ગત ચાંદખેડા, નવા વાડજ, વેજલપુર, ઉસમાનપુરા, સોલા, ઘાટલોડિયા, વિરાટનગર સહિતના વિસ્તારમાં EV ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. શહેર મનપા દ્વારા ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટેનું ટેન્ડર જાહેર કરાયું હતું. 27 સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે બે કંપની તૈયાર થઈ છે. અદાણી 24 સ્થળે જ્યારે ઈવેમ્પ ત્રણ સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવશે. ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધા હશે, જેથી કોઈપણ વ્યક્તિને પોતાની ગાડીની બેટરી બદલવી હોય તો તે બેટરી પણ બદલાવી શકશે. તમામ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે.

શહેર મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં 16, દ.પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 6, ઉ.પશ્ચિમ ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 3 સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવશે, તેણે મનપાને જગ્યા પેટે વાર્ષિક 5 ટકા જંત્રી લેખે જમીનનું ભાડું ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત શહેર મનપા સાથે રેવન્યૂ શેરિંગ કરવામાં આવશે. જેમાં પ્રતિ યુનિટ પ્રમાણે રેવન્યુ શેરિંગ કરવામાં આવશે. હાલમાં જે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે ત્યાંથી કોર્પોરેશનને એક યુનિટ દીઠ રૂ. 3.51 મળે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...