અમદાવાદ : અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે સાબરમતીથી વટવા સુધીના 18 કિલોમીટરના સી-7 પેકેજમાં પિલરની કામગીરી પૂરી થવાના આરે છે. ત્યારે આવતીકાલથી મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ તબક્કામાં મણિનગરના નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ તેમજ વટવા-રોપડા રેલવે ઓવરબ્રિજ સેગમેન્ટ લોન્ચિંગની કામગીરી શરૂ થવાની હોવાથી આ બ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરુ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમનો સૌપ્રથમ મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
નાથાલાલ ઝગડા બ્રિજ પર અને તેની બંને બાજુએ સેગમેન્ટ લોન્ચિંગ માટે આ બ્રિજ 18થી 28 ફેબ્રુઆરી સુધી લોકોની સુરક્ષાને ધ્યાને રાખી વાહન વ્યવહાર માટે બંધ રખાશે. આવતીકાલથી એટલે 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે.