Tuesday, February 10, 2026

ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રવીણ પટેલનો એકતરફી વિજય, કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની એક બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલનો જંગી બહુમતિથી વિજય થયો છે. બેઠક માટે થયેલા કુલ મતદાનના 91 ટકા મત ભાજપના ઉમેદવારને મળ્યા હતા. જેના પગલે કોંગ્રેસ સહિત બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. ઘાટલોડિયાની એક બેઠક માટે 31.26 ટકા મતદાન થયું હતું. જે પૈકી મોટાભાગના મત ભાજપની તરફેણમાં પડ્યા હતા. કુલ 24 હજાર કરતા વધુ મત સામે ભાજપના ઉમેદવારને 22 હજાર કરતા વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 1152 જ મત મળ્યા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં અપેક્ષા મુજબ મતદાન માટે મતદારો નિરસ જણાયા હતા. મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં માત્ર 31.26 ટકા જેટલું જ મતદાન થયું હતું. આમ, ઘાટલોડિયા વોર્ડમાં નોંધાયેલા કુલ 78948 મતદારો પૈકી માત્ર 24621 મતદારોએ જ મતદાન કર્યું હતું. મતદાનના દિવસે જ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી લીધી હોય તેમ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરોને શોધવા પડે તેવી સ્થિતિ હતી. આમ, આ બેઠક પર ભાજપ એકતરફી જીત મેળવે તેવી મતદાનના દિવસથી જ શક્યતા જણાતી હતી અને તે મુજબનું જ પરિણામ પણ આવ્યું છે.

ભાજપના ઉમેદવારે કુલ મતદાનના 91 ટકા જેટલા મત મેળવ્યા હતા. જ્યારે બાકીના તમામ ઉમેદવારો અને નોટાને મળીને માંડ 9 ટકા મત મળ્યા હતા. આમ, આ બેઠક પર ભાજપના ઉમેદવારે નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર કરતા 21201 મતની લીડથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે.

ભાજપના ઉમેદવારનો વિજય થતાં શહેરના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન કોર્પોરેશનની તમામ કાયદાકીય વિધિ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હવે મ્યુ કોર્પોરેશનની આગામી બોર્ડની બેઠકમાં તેઓ ભાગ લઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...