Monday, November 17, 2025

આજથી અમદાવાદનો આ બ્રિજ એક મહિના સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ…

spot_img
Share

અમદાવાદ : શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેને લઈ આજથી વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અસારવા બ્રિજ આજે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે. જોકે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ (ગીરધરનગર બ્રિજ) તરફ જઈ શકશે. ગિરધરનગર સર્કલ પર થઈને અસારવા ક્રોસિંગ તરફ જમણી બાજુ વળી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અસારવા બ્રિજ બંધ રહેવાથી શેહરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની સંભાવના સેવાય રહી છે. જેને લઈ ટ્રાફિક તંત્રએ વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરી છે.સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચેની બાજુનો રસ્તો લઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધરનગર સર્કલ તરફ જઈ શકશે અને પછી દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજા તરફ જઈ શકશે. સિવિલ હૉસ્પિટલથી આવતા લોકો ગિરધરનગર ચાર રસ્તા તરફ જમણે વળીને ઇદગાહ પુલ પર જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ શરૂ હોવાથી શહેરમાં ગત 18 ફેબ્રુઆરી મણિનગર સ્થિત નાથાલાલ ઝગડિયા રેલવે ઓવરબ્રિજ આગામી અઠવાડિયા સુધી બંધ કરાયો હતો. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ અને અનુપમ બ્રિજ પરથી વાહન ચાલકો અવર જવર કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...