Wednesday, November 19, 2025

અમદાવાદમાં પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ આ રોડ બંધ કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બ્રિજ અને ફ્લાયઓવર બનવાથી શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, તેમજ શહેરના વિકાસને પણ વેગ મળશે.પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતાં આઈઆઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતાં આઈઆઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ આશરે 650 મીટર અને પહોળાઈ 17 મીટર રહેશે. સરળતાથી વાહનો પસાર થઈ શકે તેના માટે દર બે સ્પાને એક કન્ટિન્યુટી એક્સપાન્શન જોઇન્ટ બનાવવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરતાં બ્રિજના બંને તરફના રોડ પર વાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવામાં આવશે.

પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડીથી વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટીથી નેહરુનગર તરફ જવાના રોડ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટુ લેન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની નીચે પેવર બ્લોક પાર્કિંગ બનાવવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...