33.3 C
Gujarat
Wednesday, May 21, 2025

અમદાવાદમાં પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ આ રોડ બંધ કરાયો

Share

અમદાવાદ : અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બ્રિજ અને ફ્લાયઓવર બનવાથી શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, તેમજ શહેરના વિકાસને પણ વેગ મળશે.પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતાં આઈઆઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતાં આઈઆઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ આશરે 650 મીટર અને પહોળાઈ 17 મીટર રહેશે. સરળતાથી વાહનો પસાર થઈ શકે તેના માટે દર બે સ્પાને એક કન્ટિન્યુટી એક્સપાન્શન જોઇન્ટ બનાવવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરતાં બ્રિજના બંને તરફના રોડ પર વાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવામાં આવશે.

પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડીથી વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટીથી નેહરુનગર તરફ જવાના રોડ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટુ લેન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની નીચે પેવર બ્લોક પાર્કિંગ બનાવવામાં આવશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles