Friday, March 13, 2026

AMTSની બસો પર સફેદ કલર કરવામાં આવશે, મુસાફરોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શહેરીજનોમાં જાહેર પરિવહન સેવાના ક્ષેત્રે AMTS અનેક પ્રકારનાં ધાંધિયાં છતાં પણ પ્રીતિપાત્ર બની રહી છે, કેમ કે AMTS બસ સર્વિસ શહેરના ખૂણે ખૂણે દોડી રહી છે. બીજી તરફ AMTSના સત્તાવાળાઓ પણ વિવિધ પ્રકારની સેવાઓમાં સતત વૃદ્ધિ કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે, જેના પરિણામે આગામી ઉનાળાની સિઝન દરમિયાન ગરમીને લઈને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હવે AMTSની બસોની છત ઉપર સફેદ કલર કરવા અંગેનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરિવહન સેવા એવી AMTS બસ હવે AC કરવામાં આવી છે પરંતુ 800 માંથી મોટા ભાગની બસો NON AC છે. ઉનાળામાં મુસાફરોને ગરમીમાં રાહત આપવા માટે AMTS બસો ઉપર સફેદ કલર કરાવવામાં આ‌વશે. વિશેષ કલર થવાના કારણે ઉપરની છતથી આવતી ગરમી ઓછી થશે અને મુસાફરોને બહાર કરતાં અંદર 2 થી 3 ડીગ્રી ગરમી ઓછી લાગશે. માત્ર બસોમાં જ નહીં પરંતુ મુખ્ય બસ સ્ટેન્ડો ઉપર પણ ઉનાળાની સિઝન દરમિયાન મુસાફરોને રાહત મળે તેના માટે ગ્રીન નેટ બાંધવામાં આવશે તેમજ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.આ નિર્ણયથી અમદાવાદીઓને ઉનાળાની સિઝન દરમિયાન ગરમીથી રાહત મળશે.

આગામી ઉનાળાની સિઝન દરમિયાન ગરમીને લઈને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હવે AMTSની બસોની છત ઉપર સફેદ કલર કરવા અંગેનો નિર્ણય લીધો છે. બસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે તેને લઈને આ કલર કરાવવામાં આવશે. જોકે, આ ખર્ચની વસુલાત ખાનગી એજન્સીઓ પાસેથી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોટા બસ સ્ટેન્ડ પર કુલર કે પંખા લગાવવાની દિશામાં પણ વિચારણા હાથ ધરી છે. સાથે મોટા બસ સ્ટેન્ડ પર ગ્રીન નેટ બાંધવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...