અમદાવાદ : રાજ્યમાં વધુ એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં ફરજ બજાવતા PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. PI નું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. જેના કારણે પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PI ખરારી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. પાંચ દિવસમાં પોલીસના મોતની આ બીજી ઘટના છે. આ પહેલા ગોમતીપુરમાં પોલીસકર્મીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
આ અગાઉ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતુ, પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.
નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર સીપીઆર શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.