Thursday, November 13, 2025

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલક રીક્ષાને ટક્કર મારી ફરાર, મુસાફરનું ઘટના સ્થળ પર મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, આ અકસ્માત થલતેજ મેટ્રો બ્રિજ નીચે થયો હતો, એવું જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી અને 24 વર્ષીય ગૌતમ ચૌહાણનું મોત થયું હતું, ત્યારબાદ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના થલતેજ બ્રિજ નીચે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં મુસાફર રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો અને ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે આવીને મુસાફરને ટક્કર મારી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દુર્ઘટના સ્થળ પર દોડી આવી હતી. ટ્રાફિક SG 1 પોલીસે ફરિયાદ દાખલ કરી ફરાર ટ્રક ચાલકની શોધ શરૂ કરી છે, ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે.

કાયદા મુજબ, જો રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બને તો ડ્રાઇવરને 10 વર્ષની જેલની સજા થશે. તેને દંડ પણ ભરવો પડશે. હવે, નવા નિયમ મુજબ, જો કોઈ વાહનચાલક કોઈને કાર સાથે ટક્કર મારે છે અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ ભરવો પડશે.

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે શીલજ કેનાલ રોડ પર એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા હતા. આમ શહેરમાં વધતી જતી ગતિના આતંકે વધુ બે યુવાનોના જીવ લીધા છે. અમદાવાદના નવરંગપુરા અને ચાંદખેડા બાદ હવે શીલજમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...