Tuesday, February 10, 2026

વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોનો આતંક, જાહેરમાં તલવાર-લાકડીઓ સાથે વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે. મેગા સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બની વસ્ત્રાલ વિસ્તારમાં રાતે ભારે ધમાલ મચાવી છે અને પાર્ક ગાડીઓમાં તોડફોડ કરી છે. 15 થી 20 લોકોનાં ટોળાએ કારમાં તોડફોડ કરી હોવાની માહિતી છે.લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. 15 થી 20 લોકોનાં ટોળાએ શાશ્વત-2 સોસાયટીમાં પાર્ક કારોમાં તોડફોડ કરી અને જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બદમાશો ફરાર થયા હતા. મોડી રાતે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

એવી પણ માહિતી સામે આવી છે કે આ લુખ્ખા તત્વોએ જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો હતો. કારચાલકો પર છરીઓ, પાઈપ અને તલવારોથી હુમલા કર્યા હોવાના આરોપ છે. અસામાજિકોનાં આતંકનો ફ્લેટનાં રહીશોએ વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં જાહેર રોડ પર આતંક મચાવનારા અસામાજિક તત્વો કેદ થયા છે. આરોપીઓએ રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ બાનમાં લીધા હતા. સ્થાનિક રહીશોમાં બદમાશોનો ડર જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસ ત્વરિત પગલાં લે અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...