29.7 C
Gujarat
Sunday, June 8, 2025

વસ્ત્રાપુરમાં ગટરમાં સફાઇ કામદારના ગેસ ગળતરથી મોતનો મામલો, કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે ફરિયાદ

Share

અમદાવાદ: અમદાવાદમાં ગટરની અંદર ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મૃત્યુ થવાની ઘટના બની હતી. જેમાં બોડકદેવ સુભાષપાર્ક વિસ્તારમાં ગટરની સફાઈ કરવા દરમિયાન ગટરમાં ઉતરેલા કામદારનું મોત થયું હતું અને હવે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં સફાઈ કામદારનું મોત નિપજવાની ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. 11મી માર્ચનાં રોજ બોડકદેવ સુભાષપાર્ક જીનમંગલ બંગ્લોની સામે નયનદીપ એપાર્ટમેન્ટની બાજુમાં રોડ પર ગટરની કામગિરી કરી રહ્યા હતા, આ દરમિયાન સફાઇકર્મીને દોરડુ પકડાવી ગટરની અંદર ઉતારવામાં આવ્યા બાદ હાથમાંથી દોરડુ છટકી જતાં ગટરમાં પડી ગયા હતા અને ગેસની ગુગળામણથી તેનું મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જો કે આ મામલે મૃતકનાં પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાવવામાં આવી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોન્ટ્રાકટર પ્રવિણભાઈ અરજણભાઈ ચૌહાણ, મહેશભાઈ અરજણભાઈ ચૌહાણ તેમજ અશ્વિનભાઇ નાનાભાઇ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ પોલીસ ફરીયાદ નહિ કરવાનું અને પાછળથી સમજી લેવાની વાત કરી હતી.

દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં નથી આવી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles