Friday, March 13, 2026

અમદાવાદમાં નકલી હોસ્પિટલનો પર્દાફાશ, વીમા કંપનીએ તપાસ કરતાં હોસ્પિટલની પોલ ખુલી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં નકલીઓના રાફડા વચ્ચે ફરી એકવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં “થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર” નામની એક નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હોસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડોક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા. હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલને પોલીસે દબોચી લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વીમાકંપની પાસે ગત 20 માર્ચ 2024માં મેડિક્લેઇમ પોલિસીધારક દ્વારા ક્લેઇમ પાસ કરાવવા ફાઇલ આવી હતી. જેમાં નરોડામાં આવેલ થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડો. મેહુલ સુતરીયા પાસે સારવાર લીધી હતી. જેથી તપાસ દરમિયાન વીમા કંપનીના કર્મીઓએ હોસ્પિટલમાં જઇને તપાસ કરતા કોઇ ડોકટર હાજર ન હતો. તેમજ સ્ટાફ પાસે દર્દીના કાગળો માંગતા ન હતા. જેથી ઇન્વેસ્ટિગેશન ઓફિસર તેજસ ગોરસીયાને શંકા જતા ડોકટર સંજય પટેલની દેખરેખ હેઠળ સારવાર મેળવી હોવાનું સામે આવ્યું હતું.

વીમા કંપનીઓની તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે દાખલ કરીને મેડિક્લેઈમના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ક્લેઈમ પાસ કરાવતા હતા. વીમા કંપનીઓને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં આ નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.આ અંગે વીમા કંપનીએ ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે સંજય પટેલ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેમજ ચાર ખોટા મેડિક્લેઇમ પાસ કરીને વીમા કંપની પાસેથી 2 લાખ પડાવી લીધા હતા. પોલીસે હોસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાથી દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડાં થયા હોવાની શક્યતા છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો અને ક્લિનિકો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...