Thursday, November 13, 2025

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ : 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, 42 સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન અને યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ યુવાનો માટે આર્થિક સ્વતંત્રતાનું એક શક્તિશાળી હથિયાર છે. પ્રધાનમંત્રી મોદીએ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત હવે સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે. યુવાઓ સ્ટાર્ટઅપ માટે આગળ આવે અને જો કોઈ સમસ્યા હોય તો સરકાર સુધી સીધા સંદેશા મોકલાવે.”

સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં અવનવાં સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિકસ્તરે આપણાં સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યાં છે. સ્પેસ સહિતનાં અવનવાં ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને દેશની યુવાશક્તિના સામર્થ્યને સાથે લઈને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના વિચારબીજને સાકાર કરવામાં ગુજરાતના યુવાનો મહત્ત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વેજલપુર મતવિસ્તાર ધારાસભ્ય અમિત ઠાકરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશની યુવાશક્તિમાં અતૂટ ભરોસો છે. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્ત્વનો ભાગ ભજવશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યુવાઓના વિચારબીજને નવી દિશા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

“ગુજરાતમાં કુલ 11,000 સ્ટાર્ટઅપ છે, જેમાંથી 2,000 માત્ર વેજલપુરના છે. 2014 બાદ સ્ટાર્ટઅપમાં 400%નો વધારો થયો છે. ફેસ્ટિવલમાં 42 સ્ટાર્ટઅપ્સને વિના મૂલ્યે સ્ટોલ આપ્યા છે, જેથી તેઓ નેટવર્કિંગ દ્વારા લોકોને તેમનો વ્યવસાય બતાવી શકે.” એમ અમિત ઠાકરે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વેજલપુર મતવિસ્તારમાં યોજાયેલાં વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા 4500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા 42 સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા.

આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...