Saturday, February 7, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે કામગીરી બિરદાવી, આપઘાત કરવા નીકળેલ પરિવારના ચાર સભ્યોનો બચાવ્યો જીવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારના ચાર સભ્યો કે જેઓ આર્થિક સંકડામણના/ કારણે આત્મહત્યા કરવાના ઇરાદે ઘરેથી નિકળી ગયેલ, આ અંગેની જાણ થતાં જ ગુમ થનાર પરિવારના મોબાઇલ લોકેશન મેળવી ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં તે પરિવારને સાબરમતી રીવરફ્રન્ટથી શોધી કાઢેલ, ત્યારબાદ તે પરિવારને સમજાવી તેઓને મનોબળ પુરૂ પાડી આત્મહત્યા કરતાં અટકાવેલ, આ તમામ પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી બિરદાવવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન તેમજ તેમની ટીમને પરિવારના ચાર સભ્યોને ગણતરીના કલાકોમાં સાબરમતી રીવરફ્રન્ટથી શોધી કાઢી આત્મહત્યા કરતાં અટકાવેલ તમામ પોલીસ કર્મચારીઓને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા પ્રશંસાપત્ર આપી બિરદાવ્યા હતા. જેમાં PI બી.એસ.જાડેજા- ઇસનપુર પોલીસ સ્ટેશન તેમજ તેમની ટીમ સર્વેલન્સ PSI એન.આર.સોલંકી, PC સંજય રાજાભાઇ, PC યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ, PC જયેશ મધુભાઈનો સમાવેશ થાય છે.

ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુષ્ણકુંજ સોસાયટી રહેતા ગોપીચંદ હીરાજી જાટોલીયાઓ ગઇ કાલ તા 25-03-2025 ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને જાહેરાત કરેલ કે મારો દિકરો મહેન્દ્ર તેની પત્નિ તથા બે બાળકો સાથે હુ આત્મહત્યા કરવા જાવ છુ. તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી છે, જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરતા ઈસનપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...