Sunday, January 25, 2026

અમદાવાદીઓ જોઈને ખાજો, પીઝામાંથી ખીલી નીકળી, AMCના ફૂડ વિભાગે શોપને સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : પીઝામાંથી જીવડા બાદ હવે આ રીતે ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે. ખાનાર નસીબદાર હતા કે મોઢામાં આવતાં જ એમને ખ્યાલ આવી ગયો અને પેટમાં ન ગઈ. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પાપા લુઈઝ પિઝાની છે, જ્યાં 27 માર્ચે એક ગ્રાહક મિત્રો કે પરિવારજનો સાથે પિઝાનો સ્વાદ માણવા તો પહોંચ્યા પરંતુ ખાવાની શરૂઆત કરી ત્યાં જ એમનો મૂડ મરી ગયો હતો. કારણ કે આવડી મોટી ખીલી જો કદાચ કોઈ બાળકના મોઢામાં આવી હોત અને બાળક ખીલી ગળી ગયું હોય તો શું હાલત થાત એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી પાપા લુઈસ નામની પીઝા શોપમાં એક વ્યક્તિ અન્ય લોકો સાથે પીઝા ખાવા માટે ગયા હતા. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ અને પીઝા સર્વ થવાની શરૂઆત થઈ હતી. જેમાં બીજો કોર્ન પીઝા આવ્યો હતો. જે ખાતાની સાથે જ તેમના મોઢામાં કંઈક મજબૂત વસ્તુ વાગી તેવું લાગ્યું હતું. જેથી તેઓએ જ્યારે મોઢામાંથી બહાર કાઢીને જોયું તો પીઝાના કોર્નમાં ખીલી હોવાનું સામે આવ્યું હતું. ખીલી નીકળી હોવાથી તેઓએ આ મામલે તાત્કાલિક શોપના જવાબદાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા.

પાપા લુઈસ પીઝાના જવાબદાર વ્યક્તિને બોલાવી અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો આ ખીલી શરીરમાં જતી રહી હોત તો કેટલું મોટું આરોગ્યને નુકસાન થયા તેમ કહ્યું હતું. શોપના જવાબદાર વ્યક્તિએ પણ ભૂલ થઈ ગઈ તેવું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ આવી ઘટના હવે નહીં બને અને અમે ધ્યાન રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર ઉપરથી આ ખીલી પડી ગઈ હોય તેવું લાગે છે. જેથી ગ્રાહકે કહ્યું હતું કે, તમારા રસોડામાં તમે કેવી રીતે ધ્યાન રાખો છો કે આ ત્યાંથી આવી ગયું. આ રીતે હોટલના જવાબદાર વ્યક્તિ પાસે જવાબ માગ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ મામલે ફરિયાદ મળતાની સાથે જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકોલના પાપા લુઈસ પીઝા ખાતે તપાસ માટે ટીમ મોકલી આપી હતી. ફૂડ વિભાગ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરી પાપા લુઈસ પીઝાને સીલ મારવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...