Monday, September 15, 2025

અમદાવાદ શહેર પોલીસમાં ફરી બદલીઓનો દોર યથાવત, વધુ પોલીસનાં 38 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ

Share

Share

અમદાવાદ : પોલીસ કમિશનર જી.એસ મલિકે 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ આપ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે.

મળતી વિગતો અનુસાર, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીઓમાં ખાસ વાત એ છે કે તમામ 38 પોલીસકર્મીઓને ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક વિભાગ જેવા મહત્વના વિભાગોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસકર્મીઓની નિમણૂક થવાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે, જ્યારે ટ્રાફિક વિભાગમાં નવી નિમણૂકોથી શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સારી રીતે સંચાલિત કરી શકાશે.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ બદલી અંગે કોઈ વિશેષ નિવેદન આપ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે આ એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે, જેના દ્વારા પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતાને જુદા જુદા ક્ષેત્રોમાં ઉપયોગમાં લઇ શકાય. આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે અને તમામ બદલી પામેલા પોલીસકર્મીઓને તેમના નવા કાર્યસ્થળે તાત્કાલિક હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શહેર પોલીસમાં આ બદલીઓ શહેરની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. ક્રાઈમ અને ટ્રાફિક જેવા સંવેદનશીલ વિભાગોમાં અનુભવી અને સક્ષમ કર્મચારીઓની નિમણૂકથી શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ મળી રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...