Friday, March 13, 2026

અમદાવાદમાં હવે બાલવાટિકા નવા રંગરૂપમાં, નવા 22 આકર્ષણ લોકો માણી શકશે, ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લુ મૂકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એને હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે નવાં રંગરૂપ આપ્યાં છે. ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડ અને મ્યુઝિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાલવાટિકામાં સ્નોપાર્ક, ભૂલભુલૈયા, બટરફ્લાય પાર્ક, મડ બાઇકિંગ, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ફ્લાઇંગ થિયેટર જેવા 22 આકર્ષણ હશે. વેક્સ મ્યુઝિયમમાં ક્રિકેટરો, ફિલ્મ સ્ટાર તેમજ દેશના મહાનુભાવોની મીણની મૂર્તિઓ જોવા મળશે.મહત્ત્વનું છે કે, 22 કરોડના ખર્ચે પીપીપી ધોરણે બાલવાટિકા તૈયાર કરાઈ છે. વેકેશનમાં બાળકો એમ્યુઝમેન્ટ પાર્કની મજા માણી શકશે. ટૂંક સમયમાં જ ટિકિટના દર પણ નક્કી કરાશે.કાંકરિયા બાલવાટિકા નવા રંગરૂપ સાથે 20 દિવસમાં ખુલ્લુ મુકાશે.

બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે, જેમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે, જેમાં કોઈન હાઉસ કી, કાચ ઘર, શૂ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. બીજી અલગ અલગ એક્ટિવિટી અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મુજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે, જે ચાર્જ હવે પછી નક્કી કરાશે.

કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે. બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લું મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...