Tuesday, February 10, 2026

હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે, લોકો સ્કેન કરી કોઈપણ ફરિયાદ કરી શકશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-રહેણાક મિલકતો બહાર મ્યુનિ. ક્યુઆરકોડ મુકશે. જોકે માત્ર મ્યુનિ. અને તેના વિભાગો તેમજ મિલકત માલિક જ ક્યુઆરકોડ સ્કેન કરી શકશે. મ્યુનિ.ની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આ પ્લાન ઘડાયો છે. આનાથી મ્યુનિ.ની ટેક્સની આવક પણ વધશે. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, તમામ મિલકતોનું જીઆઇએસ આધારિત મેપિંગ કરાશે. કોડ સ્કેન કરી લોકો મ્યુનિ.ને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે.શહેરમાં આવેલી તમામ મિલકતોનું ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન, પ્રોપર્ટી ટેકસ , ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા QR કોડ માટે ટૂંકમાં ટેન્ડર બહાર પડાશે. લોકોના ટેનામેન્ટ નંબરને આધારે તે તૈયાર થશે અને તે મોબાઇલ આધારિત રહેશે. એકવાર QR કોડ સિસ્ટમ અમલમાં આવે પછી લોકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઇલ પર મળી જશે. પ્રોફેશનલ ટેક્સ પણ આ રીતે મોકલાશે. આ ઉપરાંત જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન મેપિંગને કારણે કોઈપણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થતું હશે તો તેને પણ પકડી શકાશે અને સંબંધિત વિભાગને જાણ કરી કાર્યવાહી કરાશે. શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ કરવા સહિતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવશે.

તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી મિલકતોનુ માપ લેવા,તેના જીઓ ટેગ કરેલા ફોટા લેવા,વીજ તથા પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ ઉપર મુકાશે.

વારાણસી અને ગોવામાં અત્યારે તમામ ઘરોમાં આ યોજના હેઠળ ક્યુઆરકોડ લાગેલા છે. ત્યાં તમામ ઘરોમાં કચરો લેવા આવનાર ગાડી પણ ક્યુઆરકોડ સ્કેન કરે છે. તેમજ નાગરીકો મ્યુનિ.ને લગતી ફરિયાદો આ ક્યુઆરકોડને આધારે થઇ શકે છે. જે પ્રોજેક્ટ ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...