Tuesday, February 17, 2026

ચાંદલોડિયામાં PM આવાસ યોજનામાં મકાન ફાળવણીના કૌભાંડનો પર્દાફાશ, આરોપીઓએ એલોટમેન્ટ માટે 50-50 હજાર પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં PM આવાસના મકાન ફાળવવામાં કૌભાંડ સામે આવ્યું છે. નકલી એલોટમેન્ટ લેટરના આધારે 21 મકાનો ફાળવી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. AMCના અધિકારીઓએ તપાસ કરતા લેટર નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વિપુલ અને સૈયદ નામના આરોપીઓએ આ કૌભાંડ આચર્યુ હતું. જેમાં તેમણે 50-50 હજાર રૂપિયામાં 21 સભ્યોને નકલી પત્રો પધરાવી દીધા હતા. મકાન ફાળવવા માટે એજન્ટે બીજા 10-10 હજાર પડાવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ઠાકોરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની મુજબ મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1736 આવાસ પૈકી 1372 આવાસના પઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે.

આ બંને આરોપીઓએ 21 સભ્યો પાસેથી રૂ.50 હજાર લેખે રૂ.10.50 લાખ પડાવી લીધા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. પરંતુ ભોગ બનનારા લોકોની સંખ્યા વધારે હોવાની આશંકા પોલીસે નકારી નથી.અગાઉ પણ ગરીબ આવાસ યોજનાઓમાં ઘર અપાવવાને નામે લોકો સાથે મોટાપાયે છેતરપિંડી થઈ ચૂકી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં જે લોકોને ઘર લાગ્યા હોય છે તેઓ પણ 7 વર્ષના નિયમનો ભંગ કરી ભાડે ચઢાવી દેતા હોય છે.

નવાઈની વાત એ છે કે આરોપીઓએ મકાન નહોતા ફાળવ્યા તેના પણ પજેસન લેટર બનાવ્યા હતા. તે સિવાય મકાન લેનારને AMCની પાવતી પણ આપતા હતા. હાલમાં આરોપીઓ પાસે યાદી કેવી રીતે આવી તેની તપાસ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...